અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકારને ચીમકી આપતાં કહ્યું કે,જો કૃષિ કાયદાઓની જેમ NPR અને NCR કાયદાઓ રદ કરવામાં નહીં આવે તો અમે અહીં (UP)માં એક બીજું શાહિનબાગ બનાવી દઈશું.
ઓવૈસીએ મોદી સરકાર સામે NPR-NRC મુદ્દે નિશાન તાક્યું
યુપીના બારાબંકીમાં ઓવૈસીએ ચીમકી ઉચ્ચારી
ઓવૈસીએ કૃષિ કાયદાને લઈને ટોણો માર્યો
અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર સામે નિશાન સાધ્યું
મોદી સરકાર દ્વારા ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત બાદ હવે તમામ વિપક્ષો કેન્દ્ર સરકાર સામે વધુ આક્રમક બની ગયા છે. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદ-ઉલ-મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ મોદી સરકાર સામે નિશાન તાકતાં જણાવ્યું છે કે જો કૃષિ કાયદાઓની જેમ NPR અને NCR કાયદાઓ રદ કરવામાં નહીં આવે તો અમે અહીં (UP)માં એક બીજું શાહિનબાગ બનાવી દઈશું.
યુપીના બારાબંકીમાં ઓવૈસીએ ચીમકી ઉચ્ચારી
યુપીના બારાબંકીમાં ઓવૈસીએ વડા પ્રધાન મોદી સામે નિશાન તાક્યું હતું અને જણાવ્યું હતું કે હું પીએમ મોદી અને ભાજપને સીએએને કૃષિ કાયદાની જેમ પરત લેવા અપીલ કરું છું, કારણ કે આ કાયદો બંધારણની વિરુદ્ધ છે. જો તેઓ એનપીઆર અને એનઆરસી પર કાયદો બનાવશે તો અમે શેરીઓમાં ઊતરીશું અને અહીં એક વધુ શાહિનબાગ બની જશે.
ઓવૈસીએ કૃષિ કાયદાને લઈને ટોણો માર્યો
અસદુદ્દીન ઓવૈસીએ વડા પ્રધાનને લઈને જણાવ્યું કે હાય મોદીજી, ક્યા એક્ટિંગ કરતે હો આપ... મોદી ગલતી સે રાજનીતિ મેં આ ગયે ઔર બોલિવૂડ એક્ટર્સ બચ ગયે.. અગર વો બોલિવૂડ મેં હોતે તો બેસ્ટ એક્ટર કે સારે પુરસ્કાર ઉન્હેં હી મિલતે. ઓવૈસીએ કૃષિ કાયદાને લઈ જણાવ્યું હતું કે વડા પ્રધાન મોદી અણધાર્યા આવ્યા અને તેમણે જણાવ્યું કે અમારી તપસ્યામાં કોઈ ખોટ રહી ગઈ હતી. ઓવૈસીએ તેના જવાબમાં જણાવ્યું કે તપસ્યા તો એ કિસાનોની હતી, જેમણે એક વર્ષ સુધી સંઘર્ષ કર્યો છે. કોઈ પણ ભોગે તેમણે પોતાની જમીન છોડી નહીં.સાથે-સાથે ઓવૈસીએ એવી પણ જાહેરાત કરી છે કે ઉત્તર પ્રદેશમાં તેમનો પક્ષ એઆઈએમઆઈએમ 403 વિધાનસભા બેઠકોમાંથી 100 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે એવું પણ જણાવ્યું હતું કે તેઓ ગઠબંધન બનાવવા માટે અન્ય રાજકીય પક્ષો સાથે વાતચીત પણ કરી રહ્યા છે