બ્રિટનમાં ભારત પ્રત્યાપણ મુદ્દે સુનાવણીનો સામનો કરી રહેલા હીરાના બિઝનેસમેન નીરવ મોદી જો ભારત પરત ફરશે તો તેમને મુંબઇની આર્થર રોડ જેલમાં રહેવું પડશે. તેમનો ભારત પરત પરવાનો નિર્ણય 25 ફેબ્રુઆરીએ બ્રિટનની વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટ કરશે. લંડનની આ અદાલતે આ મુદ્દે 8 જાન્યુઆરીએ સુનવણી પૂર્ણ કરી લીધી છે.
નીરવ મોદી ભારત પરત ફરશે ?
2019થી લંડનની જેલમાં બંધ છે
મુંબઇની જેલમાં નીરવ મોદી આવશે
નીરવના વકીલે કરી ખરાબ જેલની દલીલ
લંડનની વેસ્ટમિંસ્ટર જેલમાં મોદી તરફથી લડી રહેલા વકીલે આર્થર રોડ જેલમાં રહેલી કમીઓને દલીલ તરીકે પ્રસ્તુત કરી. તેણે કહ્યું કે મુંબઇની જેલમાં પ્રબંધ નહી જે મોદીની માનસિક હાલતને અનુરૂપ હોય. જ્યાં તેના આત્મહત્યા કરવાની સંભાવના વધી જાય છે.
હાલ ક્યાં છે નિરવ મોદી
હાલ નિરવ મોદી લંડનની વેન્ડ્સવર્થ જેલમાં છે. પ્રત્યપર્ણ મામલે તે પણ વીડિયો લીંક દ્વારા કોર્ટમાં હાજર રહ્યાં હતા. પીએનબી છેતરપિંડી મામલે તપાસ કરી રહી છે. ભારતીય તપાસ એજન્સી અને સીબીઆઇના આગ્રહ બાદ 19 માર્ચ 2019થી મોદી લંડનની આ જેલમાં છે.
આર્થર રોડ જેલ વિશે ભારતીય એજન્સીઓએ શું કહ્યું
ભારતીય તપાસ એજન્સીઓએ બ્રિટનની અદાલતને જણાવ્યું કે, આર્થર રોડ જેલમાં મોદીના સ્વાસ્થ્યની પરિસ્થિતિ સંભાળવામાં સક્ષમ છે. જેલની નજીક જ 3 હોસ્પિટલ છે. જો મોદીને ભારત મોકલવામાં આવે છે તો આર્થર રોડ જેલમાં સંપૂર્ણ પ્રબંધ છે.
આ જેલમાં પહેલા પણ રહી ચૂક્યા છે ફેમસ લોકો
મુંબઇની આર્થર રોડ જેલમાં પહેલા પણ હાઇ-પ્રોફાઇલ લોકો રહી ચૂક્યા છે. શીના બોરા હત્યાકાંડના આરોપી સ્ટાર ઇન્ડિયાના પૂર્વ સીઇઓ પીટર મુખર્જી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતા છગન ભૂજબલ પણ આ જ જેલમાં રહ્યાં હતા.
UK ની એક અદાલતે સાતમી વખત ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદી ની જામીન અરજી નામંજૂર કરી દીધી હતી. નીરવ મોદી પર ભારતમાં પંજાબ નેશનલ બેંક PNB ની સાથે આશરે બે અબજ ડોલર જેટલી (14 હજાર કરોડથી વધ) રકમની લોન છેતરપિંડી અને મની લોન્ડરિંગનો આરોપ છે અને તેને ભાગેડુ જાહેર કરાયો છે.
ભારત પ્રત્યાર્પણના હુકમને નીરવ મોદી એ પડકાર્યો
તેણે તેના ભારત સાથેના પ્રત્યાર્પણના હુકમ સામે UK ની કોર્ટમાં પડકાર ફેંક્યો હતો. નીરવ મોદી હાલમાં સાઉથ વેસ્ટ લંડન ની જેલમાં બંધ છે. આ કેસ ભારતની બે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓ, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન CBI અને વિજિલન્સ ડિરેક્ટોરેટ દ્વારા દાખલ કરવામાં આવ્યો હતો. આરોપ છે કે ભારતીય બેંકની બનાવટી સંમતિ બતાવીને નીરવ મોદી એ બેંકો પાસેથી લોન લીધી હતી અને પૈસાની હેરાફેરી કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં, UK ની કોર્ટે પ્રત્યાર્પણની સુનાવણીને નવેમ્બર મહિના સુધી લંબાવી દીધી હતી. ગયા મહિને, નીરવ મોદી ની કાનૂની સલાહકારે UK ની અદાલતને કહ્યું હતું કે નીરવ મોદી ના કેસના રાજનીતિકરણ ને કારણે ભારતમાં સુપ્રીમ કોર્ટમાં કેસ થવાની સંભાવના નથી અને ભારતીય જેલોમાં પર્યાપ્ત મેડિકલ સુવિધાઓના અભાવને કારણે તેમને 'આત્મહત્યાના ઊંચા જોખમ' નો સામનો કરવો પડી શકે છે.