દેશમાં લોકસભાના મહાપર્વની ઉજવણી થઇ રહી છે. ચાર તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે, જ્યારે હજુ ત્રણ તબક્કામાં મતદાન બાકી છે. ત્યારે પોતાના ઉમેદવાર અને પાર્ટીને જીત અપાવવા લોકો પણ મહેનત કરી રહ્યા છે. ત્યારે ઉત્તરપ્રદેશમાં શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્ય7 સૈયદ વસીમ રિઝવીનું આશ્ચર્ય પમાડે એવું નિવેદન સામે આવ્યું છે. જોઇએ આ અહેવાલમાં.
ઉત્તરપ્રદેશમાં શિયા સેન્ટ્રલ વકફ બોર્ડના અધ્ય7 સૈયદ વસીમ રિઝવીએ કહ્યું કે, જો નરેન્દ્ર મોદી ફરીથી પ્રધાનમંત્રી નહીં બને તો તેઓ સુસાઈડ કરી લેશે. લખનઉમાં તેઓએ આ નિવેદન આપ્યુ છે. વસીમ રિઝવી ભાજપ સરકારના નજીકના ગણાયા છે. અયોધ્યામાં રામ મંદિર બનાવવાના પક્ષમાં તેઓ અનેક વાર નિવેદન પણ આપી ચૂક્યા છે.
વસીમ રિઝવીનું કહેવુ છે કે, જો વર્ષ 2019માં કોઈ અન્ય રાજકીય પક્ષના નેતા દેશદ્રોહીઓની મદદથી પ્રધાનમંત્રી બની જાય તો હું આત્મહત્યા કરી લઈશ. કારણ કે દેશદ્રોહીના હાથે મરવાના બદલે હું ઈજ્જતનું મોત પસંદ કરીશ.
અયોધ્યા મંદિરના ગેટ પાસે જ હું આત્મહત્યા કરી લઈશ. ભારતના દેશપ્રેમીઓ પીએમ મોદીને ખૂબ જ પ્રેમ કરે છે. જ્યારે ગદ્દારો વચ્ચે પીએમ મોદીનો ડર છે. નરેન્દ્ર મોદી દેશના કુશળ પ્રધાનમંત્રી છે. રાષ્ટ્ર હંમેશા ધર્મથી ઉપર હોય છે. જ્યારે પણ હું રાષ્ટ્રહિતની વાત કરૂ છું તો કટ્ટરપંથીઓ મને જાનથી મારી નાખવાની ધમકી આપે છે.