ભારતના માહીને આખી દુનિયામાં લોકો ઓળખે છે. તેની શાનદાર કેપ્ટનશિપના કારણે જ લોકો તેને 'કેપ્ટન કૂલ' પણ કહે છે. તાજેતરમાં IPL ચાલી રહી છે. તેમાં પણ ધોનીની ટીમ અને તેની લોકપ્રિયતા ખૂબ જ વધારે છે, ખાસ કરીને સાઉથમાં. આ વાતનો અંદાજ તેના પરથી લગાવી શકાય છે કે IIT મદ્રાસના સેમેસ્ટરની પરીક્ષામાં તેના પર સવાલ પૂછાયો. આ સવાલનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેનો કેટલાક લોકોએ જવાબ પણ આપ્યો છે.
IIT મદ્રાસના પ્રોફેસર વિગ્નેશે આ સવાલ પૂછ્યો છે. તે પોતાના વિદ્યાર્થીને ધોનીને એક મેચનું ઉદાહરણ આપતા પૂછે છે કે ''ડે-નાઈડ મેચોમાં જાકળ મહત્વની ભૂમિકા ભજવે છે. આઉટફિલ્ડમાં વધારે જાકળ હોવાથી બોલ ભીનો થઈ જાય છે, આ કારણે સ્પિનરો માટે ભીનો બોલ પકડવો વધારે મુશ્કેલ થઇ જાય છે. જ્યારે ઝડપી બોલર્સને પણ યોગ્ય જગ્યાએ બોલિંગ કરવુ ચેલેન્જિંગ થઇ જાય છે.''
Shout out to Professor Vignesh at @iitmadras for making exams relevant to important, real-life issues!
તે આ સવાલમાં આગળ જોડે છે કે, આઈપીએલ-2019માં 7મી મેએ ચેન્નઈ સુપર કિંગ્સ ચેપોક સ્ટેડિયમમાં ક્વોલિફાયર મેચ રમવાની છે. 7 મે એ હવામાનના પૂર્વાનુમાન મુજબ ચેન્નઈમાં હ્યુમિડિટી 70 ટકા રહેવાની છે. રમતની શરૂઆતમાં તાપમાન 39 ડિગ્રી રહેશે. તો બીજી ઈનિંગમાં ઘટીને 27 ડિગ્રી થઈ શકે છે. આ જાણકારીના આધાર પર જો એમએસ ધોની ટોસ જીતે છે તો તમે બેટિંગ કે ફીલ્ડિંગમાંથી તેમને પહેલા શું કરવાની સલાહ આપશો ?
Saturation pressure of water at 39C: 0.07 Bar
Absolute pressure of water vapour corresponding to 70% RH: 0.049 Bar
Dew point of water vapour at 0.049 Bar: 32.5C
Since temperature drops to 27C, there will definitely be dew. @ChennaiIPL@msdhoni should field first 🤷
આ પ્રશ્નનો સ્ક્રીનશોટ ICCએ પોતાના ટ્વીટર હેન્ડલ પર શેર કર્યો છે. જણાવી દઈએ કે મુંબઈ ઈન્ડિયન્સે પહેલી ક્વોલિફાયર મેચમાં CSKએ 6 વિકેટે હરાવીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. જ્યારે ચેન્નઈએ હવે દિલ્હી સામે રમીને વિજેતા ટીમ 12 મેએ ફાઇનલ મેચ રમશે.
આમ તો ધોની એટલો અનુભવી છે કે તેને કોઈની સલાહ લેવાની જરૂર ન પડે. જોકે આ રીતે પ્રશ્નનો હેતુ વિષયને વધારે રસપ્રદ બનાવવાનો છે. કુલ મળીને પ્રોફેસર વિગ્રેસની આ પહેલ સરાહનીય છે. કારણ કે તેનાથી વિદ્યાર્થીઓને સવાલમાં રસ વધારે પડશે અને તે સમજીને જવાબ આપી શકશે.