હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો હાઇકોર્ટએ લીધો ઉધડો, MLA રાઉલજી અને ગોધરા SDM સામે હાઇકોર્ટએ નારાજગી વ્યક્ત કરી
હાઈકોર્ટે MLA-SDMને લગાવી મોટી ફટકાર
MLA ધમકી આપે તો કલમ 307 મુજબ જેલમાં રાખોઃ HC
રજવાડા નથી ચલાવવાના આપણે, આ લોકશાહી છે: HC
ભાજપના ગોધરાના ધારાસભ્ય સી. કે. રાઉલજી જન પ્રતિનિધિ હોવા છતાંય પ્રજાના કામ કેમ કરતાં નથી તેવો પ્રશ્ન કરીને તેમના પુત્ર સાથે ઉગ્ર બોલચાલ કરનારી વ્યક્તિને તડી પાર કરવાનો આદેશ કરાતા સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો. જેને લઈ હાઈકોર્ટે ગોધરાના ધારાસભ્ય સી.કે.રાઉલજીનો હાઇકોર્ટએ લીધો ઉધડો છે. MLA રાઉલજી અને ગોધરા SDM સામે હાઇકોર્ટએ નારાજગી વ્યક્ત કરી છે.
HCએ MLA-અધિકારીને કેમ ફટકાર લગાવી
MLAના પુત્રને સ્થાનિકે ફોન કરી કામગીરી ના કરતા હોવાની રજૂઆત કરી હતી જેને લઈ MLAના પુત્રએ ફરિયાદી સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ અને SDMના દબાણથી ફરિયાદીને 7 જિલ્લામાંથી કરાયો તડીપાર કરવામાં આવ્યો હતો. આમ તડિપાર કરવા મુદ્દે HCમાં અરજી કરાઇ હતી.હાઈકોર્ટે ફટલાક લગાવતા કહ્યું કે MLA ધમકી આપે તો કલમ 307 મુજબ જેલમાં રાખો, રજવાડા નથી ચલાવવાના આપણે, આ લોકશાહી છે. નાગરિક ફરિયાદ પણ ન કરી શકે?
ગોધરાના SDMને તો બદલવો જ પડે
હાઈકોર્ટે ફટકાર લગાવતા કહ્યું કે કોઇ માણસ ધારાસભ્યને પૂછે કે તમે પ્રજાના કામ કેમ કરતાં નથી અને તેમનો પુત્ર પોલીસમાં એ માણસ વિરુદ્ધ ફરિયાદ કરે તો એના આધારે SDM તેને તડીપાર કરવાનો આદેશ કરી દેશે. આપણે ભારતીય ગણતંત્રમાં રહીએ છીએ, રજવાડું નથી કે કોઇ માણસ MLAના કામનો હિસાબ માંગે તો તેને સરકાર તડીપાર જાહેર કરી દે.’ આ કેસમાં તડીપારના આદેશને રદ કરવા થયેલી અરજીમાં હાઇકોર્ટે સી.કે. રાઉલજીને નોટિસ ફટકારી લગાવી હતી જો કે સમગ્ર માલમે વધુ સુનાવણી 13મી ઓગસ્ટના રોજ હાથ ધરાનાર છે.
શું છે સમગ્ર મામલો
પ્રજાના કામ કેમ કરતાં નથી તેવો પ્રશ્ન કરીને તેમના પુત્ર સાથે ઉગ્ર બોલચાલ કરનારી વ્યક્તિને તડી પાર કરવાનો આદેશ કરાતા અરજદાર પ્રવિણભાઇ ચારણે હાઇકોર્ટમાં અરજી કરી છે અને ડેપ્યુ. કલેક્ટરે દ્વારા જાહેર કરાયેલા તડીપારના આદેશને પડકાર્યો છે. પ્રવિણભાઇને ધારાસભ્ય રાઉલજીના પુત્ર સાથે ફોન પર બોલાચાલી થઇ હતી અને તેણે જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. જેને આધાર બનાવી ડેપ્યુ. કલેક્ટરને પ્રવિણભાઇને સાત જિલ્લા પંચમહાલ, મહિસાગર, દાહોદ, છોટા ઉદેપરુ, વડોદરા, ખેડા અને આણંદમાંથી તડીપાર જાહેર કર્યા હતા. જે પૈકી આણંદ જિલ્લો તો તેમની સત્તા બહારનો હોવા છતાંય ત્યાંથી પણ તડીપારનો હુકમ કરવામાં આવ્યો હતો. આ કેસની વધુ સુનાવણી ૧૩મી ઓગસ્ટના રોજ રાખવામાં આવી છે.
કોર્ટે અમને કે અધિકારીને સાંભળ્યા નથી
ગોધરાના પ્રવીણ ગઢવીના તડીપાર કેસ મામલે હાઇકોર્ટની ટકોર બાદ ધારાસભ્ય સી.કે.રાઉલજીએ નિવેદન આપ્યું. તેઓએ કહ્યું કે કોર્ટે અમને કે અધિકારીને સાંભળ્યા નથી. અમે અમારા વકીલ સાથે ચર્ચા કરી આગળની કાર્યવાહી કરીશું. મને નોટિસ કે સમન્સ મળ્યો નથી. કોર્ટ જે નિર્ણય કરશે તેનો અમે આદર કરીશું. સી.કે.રાઉલજીએ કહ્યું કે હું લોકસેવક છું તમામની રજુઆત અમે સાંભળીએ જ છીએ.