કોરોના વાયરસથી લૉકડાઉનને કારણે પેટ્રોલ અને ડીઝલની માંગ સામાન્ય દિવસોની તુલનામાં 10-20 ટકા જેટલી રહી ગઇ છે. એવામાં દેશભરમાં પેટ્રોલ પંપ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ જેવા પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની ઇનવેન્ટરી વધી ગઇ છે તેથી કંપનીઓ ક્રૂડ ઓઇલને લઇને આવી રહેલા શિપ પાછુ મોકલી રહી છે. ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલની કિંમત અને માંગમાં ઘટાડાને કારણે સરકારને ફાયદો થઇ રહ્યો છે.
કોરોના વાયરસથી લૉકડાઉનને કારણે પેટ્રોલ-ડીઝલની માંગ 10-20 ટકા જેટલી રહી ગઇ
લૉકડાઉન 3 મહીના સુધી જારી રહે છે તો સરકારને લગભગ 2 લાખ કરોડ રૂપિયા બચત થશે
લૉકડાઉનને કારણે ઘટશે ઇમ્પોર્ટ બિલ
એક્સપર્ટ્સનું માનવું છે કે જો 21 દિવસના આ લૉકડાઉનને વધારવામાં આવે છે અને જો તે 3 મહીના સુધી જારી રહે છે તો સરકારને લગભગ 2 લાખ કરોડ રૂપિયા બચત થશે. જેનું કારણ છે ઓઇલના આયાત બિલમાં મોટો ઘટાડો. લાંબા સમય સુધી લૉકડાઉનને કારણે આયાત બિલમાં 30 ટકા સુધીનો ઘટાડો આવવાની આશા છે.
દેશમાં 78,000 પેટ્રોલ પંપ
દેશભરમાં લગભગ 78,000 જેટલા પેટ્રોલ પંપ છે. સામાન્ય દિવસોમાં સરેરાશ 10 કરોડ લીટર પેટ્રોલનું વેચાણ થાય છે અને લગભગ 32 કરોડ લીટર ડીઝલનું વેચાણ થાય છે. આટલી મોટી ખપત વાળા દેશમાં 80 ટકાથી વધારે આયાત પર નિર્ભરતા છે. હવે આવા સમયે જ્યારે માંગ ઘટીને એક તૃતિયાંશથી પણ ઓછી રહી ગઇ છે તો સ્પષ્ટ છે કે આયાત બિલમાં પણ ઘટાડો થશે.
જાણકારોનું માનવું છે કે આયાત બિલમાં આટલા ઘટાડાથી સરકારને લગભગ 2 લાખ કરોડ રૂપિયાની બચત થઇ શકે છે. નાણાકીય વર્ષ 2018-19માં આયાત બિલ લગભગ 7.8 લાખ કરોડ રૂપિયા હતું, જે લૉકડાઉનને કારણે આ વર્ષે લગભગ 2 લાખ કરોડ રૂપિયા ઓછુ રહી શકે છે. આમ સરકારને સીધે-સીધી 2 લાખ કરોડ રૂપિયાની બચત થશે.