કોરોના વાયરસના ચેપને રોકવા માટે આખા દેશમાં લોકડાઉન અમલમાં મુકાયું છે. લોકડાઉનનો ત્રીજો તબક્કો 17 મેના રોજ પુરો થવા જઈ રહ્યો છે. લોકડાઉન વધારવા માટે સરકારે હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી. પરંતુ આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે જો તેમાં વધારો કરવામાં આવે તો પહેલા કરતા વધુ છૂટછાટ મળશે. એવા સંકેત છે કે સરકાર દેશમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા માટે નવા પગલા લઈ શકે છે.
આખા શહેરને બંધ નહીં કરવામાં આવે
જે જગ્યાએ કોરોનાના કેસ વધારે છે તેને જ કેન્ટોન્મેન્ટ ઝોન જાહેર કરાશે
આર્થિક સંકટને ટાળવા લેવાયા છે આ પગલા
જાણો શું છે સંપૂર્ણ પ્લાન
ધ ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે જો લોકડાઉન વધારવામાં આવે તો આ વખતે ઘણા ફેરફારો જોઇ શકાય છે. લોકડાઉનના હાલના તબક્કામાં કોઈપણ વિસ્તારમાં કોરોનાના વધુ કેસોને કારણે આખો જિલ્લા રેડ ઝોનમાં મૂકાય છે. પરંતુ આ વખતે એવો સી પ્લાન બનાવવામાં આવી રહ્યો છે કે ફક્ત કોરોના દર્દીઓ છે એવા વિસ્તારોને રેડ ઝોન તરીકે જાહેર કરવામાં આવશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાને કારણે સર્જાતા આર્થિક સંકટને ઓછું કરવા માટે કન્ટેન્મેન્ટ ઝોનની બહાર આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપી શકાય છે.
ભરવામાં આવી રહ્યા છે આ પગલા
લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે ગ્રીન ઝોન વિસ્તારમાં ઘણી છૂટ આપી છે. તેમ છતાં બાંધકામનું કોઈ કામ આવી રહ્યું નથી હકિકતમાં પરપ્રાંતિય મજૂરોના પરત જવાના કારણે આ ક્ષેત્રોમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સિવાય મેન્યુફેક્ચરિંગના અભાવને કારણે માલની અવરજવરમાં કોઈ વધારો થયો નથી.
ગ્રીન ઝોનમાં સૌથી વધુ છૂટછાટ
લોકડાઉનના ત્રીજા તબક્કામાં સરકારે લાલ, ઓરેન્જ અને લીલા ઝોનમાં વિવિધ પ્રવૃત્તિઓને મંજૂરી આપી હતી. ગ્રીન ઝોનમાં બસ સેવાઓ અને ઉદ્યોગો શરૂ કરવાના આદેશો પણ અપાયા હતા. પરંતુ ઘણા રાજ્યો કોરોના ચેપના ફેલાવાના ડરથી આ છુટ આપવા સંમત થયા નથી. હવે કેન્દ્ર સરકાર નવી સૂચનાઓ હેઠળ ફક્ત કન્ટેનમેન્ટ ઝોનમાં જ પ્રતિબંધ રાખી શકે છે. તેની બહાર જીવન જરૂરી સાવચેતી સાથે જીવનને સામાન્યતા તરફ લઈ જઈ શકે છે.