પત્રિકા વિવાદ ગૌતમ ગંભીરે હવે નવો પડકાર સામે રાખ્યો છે. એને કહ્યું કે આપ અથવા અરવિંદ કેજરીવાલ એવુ સાબિત કરી દે કે પત્રિકા વહેંચણીનો એમનો થોડો પણ હાથ હતો તો એ જનતાની સામે પોતાને ફાંસી લગાવી દેશે.
આતિશી વિરુદ્ધ અભદ્ર પત્રિકા વહેંચણીના આરોપોથી ઘેરાયેલો ગૌતમ ગંભીરે આ મુદ્દા પર આમ આદમી પાર્ટીને બીદી એખ ચેલેન્જ આપી દીધી છે. ગૌતમ ગંભીરે આમ આદમી પાર્ટીને પડકાર આપ્યો છે કે જો પાર્ટી એવું સાબિત કરી દે કે પત્રિકાઓ એમને વહેંચી છે તો એ જનતાની સામે આત્મહત્યા કરી દેશે.
ગૌતમ ગંભીરના ટ્વિટર પર આમ આદમી પાર્ટી અને સીએમ અરવિંદ કેજરીવાલને ટેગ કરતાં કહ્યું કે જો એ એવું સાબિત કરી દે પત્રિકા વહેંચણી મામલે એમને કોઇ લેવા દેવા છે, તો જનતાની સામે એ ફાંસી લગાવી દેશે અને જો એ એવું સાબિત ના કરી શક્યા તો કેજરીવાલને રાજકારણ છોડવું પડશે. સ્વીકાર છે?
તમને જણાવી દઇએ કે આ પહેલા આતિશી માર્લેનાએ દિલ્હી મહિલા પંચમાં આ મામલે ફરિયાદ દાખલ કરી છે અને દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદીયાએ ગંભીર માનહાનિ કનો કેસ કરવાની વાત કહી છે.
Challenger Number 3 to @ArvindKejriwal and @aap. If he can prove that I have anything to do with this pamphlet filth, then I will hang myself in public. Otherwise @ArvindKejriwal should quit politics. Accepted?
— Chowkidar Gautam Gambhir (@GautamGambhir) May 10, 2019