ભારતે ઘણા વર્ષો પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની નીતિની જાહેરાત કરી છે. પરંતુ રક્ષામંત્રી રાજનાથ સિંહે થોડાક દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિઓ અનુસાર ભારત પોતાની આ રણનીતિમાં ફેરફાર કરી શકે છે.
જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370માં બદલાવ કરવાના મોદી સરકારના નિર્ણય બાદ પાકિસ્તાન સમગ્ર દુનિયા પાસેથી મદદ માંગી રહ્યું છે પરંતુ એને ક્યાંયથી સહારો મળ્યો નથી. દરેક તરફથી નિરાશ થઇ ચુકેલા પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન વારંવાર ભારતને પરમાણુ યુદ્ધની ધમકી આપી રહ્યા છે. તાજેતરમાં ઇમરાન ખાને કહ્યું છે કે બંને દેશોની પાસે પરમાણુ હથિયાર છે, જો આ મામલે યુદ્ધ સુધી જાય છે તો સમગ્ર દુનિયાને અસર થશે.
ભારતે ઘણા વર્ષો પહેલા પરમાણુ હુમલો નહીં કરવાની નીતિની જાહેરાત કરી છે. પરંતુ રક્ષામંત્રી રાજનાથ સિંહે થોડાક દિવસો પહેલા એક નિવેદન આપ્યું હતું કે પરિસ્થિતિઓ અનુસાર ભારત પોતાની આ રણનીતિમાં ફેરફાર કરી શકે છે. 'નો ફર્સ્ટ યૂઝ'ની નીતિ હેઠળ , ભારત માત્ર પરમાણુ હુમલાની સ્થિતિમાં જ પરમાણુ હથિયારોનો ઉપયોગ કરશે. જો કે પાકિસ્તાને આજ સુધી પરમાણુ હથિયારોના ઉપયોગને લઇને એવી કોઇ નીતિની જાહેરાત કરી નથી.
ભારત પાકિસ્તાન સામે વામણું
પારંપરિક સૈન્ય ક્ષમતામાં પાકિસ્તાની સેના ભારતીય સેનાની હરિફાઇ કરી શકતી નથી. એટલા માટે પાકિસ્તાન વારંવાર પરમાણુ યુદ્ધની ધમકીઓ આપતું રહ્યું છે. 'ધ પાકિસ્તાની આર્મીઝ વે ઑફ વૉર' પુસ્તકના લેખક સી ક્રિસ્ટીન ફાઇ કહે છે, પાકિસ્તાનની પાસે એવી સેના છે જે યુદ્ધ શરૂ કરે છે પરંતુ એને ક્યારેય જીતી શકી નથી અને એની પાસે પરમાણુ હથિયાર છે પરંતુ તે તેનો ઉપયોગ કરી શકતી નથી. એવામાં પાકિસ્તાનની પાસે બસ એક જ રસ્તો રહે છે કે કે એ ભારત વિરુદ્ધ પ્રોક્સી યુદ્ધ લડતું રહે.
આમ તો ભારત-પાકિસ્તાનના કુલ પરમાણુ હથિયાર મળી જાય તો યૂએસ, રશિયા અને ચીનના પરમાણુ જથ્થાની તુલનામાં કંઇ પણ નથી. પરંતુ આ પરમાણુ હથિયાર 1945માં જાપાનમાં નાંખવામાં આવેલા પરમાણુ બોમ્બથી ખૂબ જ વધારે તાકતવર અને વિનાશક છે. બીજા વિશ્વ યુદ્ધ બાદથી કોઇ પણ દેશે પરમાણુ હથિયારોનો ઉપયોગ કર્યો નથી પરંતુ દુનિયાભરમાં આશરે 15000 પરમાણુ હથિયાર છે. જો સીમિત માત્રમાં પણ પરમાણુ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે તો એના અપ્રત્યાશિત વિનાશકારી પરિણામ જોવા મળશે.
આટલા લોકોની થાય મોત
બંને દેશો પરમાણુ હથિયાર સંપન્ન દેશ છે. જો પરમાણુ યુદ્ધ થાય પણ છે તો આવી સ્થિતિમાં બંને દેશોને જ આ દુર્ઘટનાની કરુણતાનો સામનો કરવો પડશે. ભારત-પાકિસ્તાનના પરમાણુ યુદ્ધની સ્થિતિમાં જો બંને દેશ પોતાના અડધા પરમાણુ બોમ્બ પણ ઉપયોગ કરે છે તો સીધા 2.10 કરોડ લોકો માર્યા જશે.
ભારતની પરમાણુ ક્ષમતા
ભારતની પાસે ત્રણેય મોર્ટાથી પરમાણુ હુમલા લડવાની ક્ષમતા છે એટલે કે ભારત જમીન, આકાશ અને દરિયા ત્રણેયમાં પરમાણુ યુદ્ધ લડવામાં સક્ષમ છે. 2018માં ભારતની પરમાણુ શક્તિ સંપન્ન પનડુબ્બી આઇએનએસ અરિહંત પણ સેનામાં સામેલ થઇ ગઇ છે. ભારતની જમીનથી હુમલો કરનારી બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ 3 ની રેંજ 3000 કિમી છે.
પાકિસ્તાન પાસે ભલે ભારત કરતા થોડા વધારે અણુ બોમ્બ હોય પરંતુ એ પોતાના ટાર્ગેટનો નાશ કરવા વધારે સક્ષમ નથી. પાકિસ્તાન નવી બેલેસ્ટિક મિસાઇલનો નિકાસ કરી રહ્યું છે અને એની હાલની બેલેસ્ટિક મિસાઇલની ક્ષમતા 2000 કિમી છે. પાકિસ્તાનની પાસે કોઇ પણ પરમાણુ હથિયાર સંપન્ન પનડુબ્બી પણ નથી. જ્યારે ભારતની પાસે હવે બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલ છે જે જમીન, દરિયા અથવા હવા ક્યાંયથી પણ ફેંકી શકાય છે. આ પાકિસ્તાની સૈન્ય અડ્ડાઓ પર પણ પોતાનો નિશાનો બનાવી શકે છે.
સ્ટૉકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇનસ્ટિટ્યૂટ પ્રમાણે, પાકિસ્તાનની પાસે 140 થી 150 પરમાણુ બોમ્બ છે જ્યારે ભારતની પાસે 130-140 પરમાણુ બોમ્બ છે. ભારતની પાસે 9 પ્રકારની ઑપરેશનલ મિસાઇલો છો જેમાં અગ્નિ 3 પણ સામેલ છે.
ભારત પાસે છે આટલી મિસાઈલ
બુલેટિન ઑફ એટૉમિક સાયન્ટિસ્ટ પ્રમાણે, ભારતની પાસે પૃથ્વી અને અગ્નિ શ્રેણીમાં સપાટીઓને માત આપનારી બેલેસ્ટિક મિસાઇલોની સંખ્યા 56 છે. જેમાં ભારત ના 53 ટકા યુદ્ધ સામગ્રા રાખવામાં આવી છે. તો બીજી બાજુ K-15 સાગરિકા સબ્મરીન્સ બેલેસ્ટિક મિસાઇલ્સમાં 12 પરમાણુ હથિયાર મોજૂદ છે.
ભારતનો હુમલો પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડી શકે
પાકિસ્તાનના નાના ભૌગોલિક આકારને જોતા ભારત ઇસ્લામાબાદ, રાવલપિંડી, લાહોર, કરાચી અને નૌશેરામાં પાકિસ્તાની આર્મી આર્મ્ડ કૉર્પ્સ હેડક્વોર્ટરને નિશાનો બનાવ્યો. જો કે કેટલાક વિશ્લેશક ચેતાવણી આપતા કહે છે, લાહોર અને કરાચી પર જો પરમાણુ હુમલો થાય છે તો આ માત્ર પાકિસ્તાની સીમા સુધી સીમિત રહેશે નહીં, હવાઓની દિશાથી ભારતીય અને અફઘાનિસ્તાની સીમા પણ પ્રભાવિત થશે.
250 કિમી રેન્જ વાળી પૃથ્વી ભારતના 24 પરમાણુ હથિયારોને લઇ જવા માટે બનાવવામાં આવી છે. આ મિસાઇલો પાકિસ્તાનના મહત્વના શહેર લાહોર, સિયાલકોટ, ઇસ્લામાબાદ અને રાવલપિંડીને નિશાનો બનાવી શકે છે. ભારતની પાસે 20 અગ્નિ 1 અને 8 અગ્નિ 2 મિસાઇલ્સ છે જેની મારક ક્ષમતા ક્રમશ: 700 કિમી અને 2000 કિમી છે. આ પાકિસ્તાનના લગભગ તમામ શહેરો લાહોર, ઇસ્લામાબાદ, રાવલપિંડી, મુલ્તાન, પેશાવર, કરાચી, ક્વેટા અને ગ્વાદર સુધી પોતાની હદમાં લઇ શકે છે.
ભારતની વધારે રેન્જ વાળી મિસાઇલ્સ અગ્નિ III, IV અને V પણ પાકિસ્તાનના દરેક ક્ષેત્ર સુધી પહોંચવામાં સક્ષમ છે. પરંતુ એને ચીન સાથે યુદ્ધની સ્થિતિમાં ઉપયોગ માટે બનાવવામાં આવી છે.
ભારતની પાસે 350 કિમી રેન્જ વાળી નાના અંતરની બેલેસ્ટિક મિસાઇલ ધનુષ પણ છે જે પરમાણુ હથિયાર લઇ જવામાં સક્ષમ છે. યુદ્ધ થવાની સ્થિતિમાં ભારતના એરક્રાફ્ટ પોતાના કુલ પરમાણ યુદ્ધ સામગ્રીનો આશરે 42 ટકા ભાગ નાંખી શકે છે. ભારતીય વાયુસેનાનું જેગુઆર ફાઇટર બૉમ્બર 16 પરમાણુ બોમ્બ વહન કરી શકે છે. જ્યારે ફ્રાંસમાં બનેલું તાકતવર 'મિરાજ 2000' 32 પરમાણુ બોમ્બની ડિલીવરી કરી શકે છે.
પાકિસ્તાન પાસે છે પાવરફૂલ મિસાઈલ
ઇન્ડિયા સ્પેન્ડના રિપોર્ટ અનુસાર એપ્રિલ 2015ના રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનના પણ 66 ટકા પરમાણુ હથિયાર બેલેસ્ટિક મિસાઇલ પર તૈનાત છે. 'બુલેટિન ઑફ ધ એટોમિક સાયન્ટિસ્ટ ડેટા' ના અનુમાન પ્રમાણે પાકિસ્તાનની 66 ટકા પરમાણુ સામગ્રી 86 બેલેસ્ટિક મિસાઇલો પર તૈનાત છે.
પાકિસ્તાનની બેલેસ્ટિક મિસાઇલ્સની સીરિઝ પણ ભારે નાશ કરી શકે છે. મુંબઇમાં એક થિંક ટેંકના સભ્ય સમીર પાટિલ પ્રમાણે જો પાકિસ્તાન મીડિયમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ્સથી હુમલો કરે છે તો ભારતના 4 મહાનગર નવી દિલ્હી, મુંબઇ, બેંગ્લોર અને ચેન્નાઇને ટાર્ગેટ બનાવવાનો પ્રયત્ન કરશે.
પાકિસ્તાન બેલેસ્ટિક મિસાઇલ પ્રોગ્રામ પર નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એડવાન્સ્ડ સ્ટડીઝ બેંગ્લોરની 2006માં આવેલા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાનની નજીક અડધાથી વધારે પરમાણુ બોમ્બ ગૌરી મિસાઇલથી ફેંકવામાં આવી શકે છે. આ મિસાઇલની રેન્જ 1300 કિમી છે અને એની હદમાં દિલ્હી, જયપુર, અમદાવાદ, મુંબઇ, પૂના, નાગપુર, ભોપાલ અને લખનઉ આવી શકે છે.
પાકિસ્તાનની પાસે આશરે 8 વૉરહેડ એવા છે જે શાહીન II થી ફેંકવામાં આવી શકે છે. આ મીડિયન રેન્જની બેલેસ્ટિક મિસાઇલની રેન્જ 2500 કિમી છે અને ભારતના મોટાભાગના શહેરોમાં પોતાની હદમાં લઇ જઇ શકે છે જેમાં પૂર્વ કિનારા પર સ્થિત કલકત્તા પણ આવી જશે.
એક અનુમાન પ્રમાણે 16 વૉરહેડ ઓછા અંતરની બેલેસ્ટિક મિસાઇલ્સ ગજનવીથી ફેંકવામાં આવી શકે છે. એની મારક ક્ષમતા 270 થી 350 કિમી છે અને લુધિયાના, અમદાવાદ અને દિલ્હી એનો ટાર્ગેટ બની શકે છે.
પાકિસ્તાનની પાસે અનુમાનિત 16 ન્યૂક્લિયર ટિપ્ડ શૉર્ટ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ્સ છે જેમાં શાહીન 1 ની રેન્જ 750 કિમી છે. એની પહોંચ લુધિયાના, દિલ્હી, જયપુર અને અમદાવાદ સુધી રહેશે.
પાકિસ્તાનની પાસે આશરે 660 કિમી રેન્જ વાળી Nasr મિસાઇલ્સ છે. આ ટેક્ટિકલ ન્યૂક્લિયર મિસાઇલ્સ ભારતીય સેનાની વધતી ટુકડીઓને ટાર્ગેટ કરી શકે છે.
પાકિસ્તાનની પાસે 8350 કિમી બાબર ક્રૂઝ મિસાઇલ્સ પણ છે જે પરમાણુ બોમ્બ લઇ જવામાં સક્ષમ છે.
પાકિસ્તાનના 28 ટકા પરમાણુ બોમ્બ એરક્રાફ્ટનો ઉપયોગ કરીને ફેંકી શકાય છે. અમેરિકામાં બનેલા F-16 A/B એરક્રાફ્ટ 24 બોમ્બ એક સાથે ફેંકી શકાય છે. જ્યારે ફ્રાંસમાં બનેલું મિરાજ III/V એક વખતમાં 12 બોમ્બ ફેંકી શકે છે.