ચીનના કમ્યુનિસ્ટ પાર્ટી સાથે સંકળાયેલા એક અખબારના લેખમાં ચેતવણી આપવામાં આવી છે કે, ચીન ભારત સામે આંતરિક બળવો શરૂ કરી શકે છે. ગ્લોબલ ટાઇમ્સમાં પ્રકાશિત એક લેખમાં તેણે કહ્યું છે કે જો ભારત 'તાઇવાન કાર્ડ' રમવાનું ચાલુ રાખે છે તો ચીન પણ ભારત સામે પગલાં લઈ શકે છે.
મોદી સરકાર સામે ચીન કરાવી શકે છે મોટો બળવો
ભારતની અંદર અલગતાવાદીઓને આપી શકે છે ટેકો: ચીની અખબાર
ગ્લોબલ ટાઇમ્સના અખબારના લેખમાં, ચેંગ્ડુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વર્લ્ડ અફેર્સના પ્રમુખ લોંગ જીંગચને કહ્યું કે લાગે છે કે ભારત સરહદ પર ચીન અને ભારત વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન તાઇવાન કાર્ડ રમવાનું ભારત વ્યસની બની ગયું છે.
ભારત અત્યાર સુધી કરે છે વન ચાઈના પોલીસીનું પાલન
અખબારે જણાવ્યું હતું કે ભારત અત્યાર સુધીની વન ચાઇના નીતિનું પાલન કરે છે અને તેથી જ ચીને ભારતમાં અલગાવવાદીઓને ટેકો આપ્યો નથી. પરંતુ જો ભારતે તાઇવાનને સમર્થન આપવાનું ચાલુ રાખ્યું કે ચીન ભારતમાં બળવો શરૂ કરી શકે છે.
ચીનની કમ્યુનિસ્ટ પાર્ટી સાથે જોડાયેલા એક અખબારમાં લખ્યું છે કે, "ચીન ભારતના ઉત્તર પૂર્વી રાજ્યો, ત્રિપુરા, મેઘાલય, મિઝોરમ, મણિપુર, આસામ અને નાગાલેન્ડમાં બળવો કરવા માટે ભાગલાવાદીઓને ટેકો આપી શકે છે." કારણ કે અહીંના લોકો એક અલગ જાતિના છે જે પોતાને ભારતનો ભાગ નથી માનતા અને આમાંના ઘણા વિસ્તારો બ્રિટિશ શાસન પહેલા મ્યાનમારની સાથે સંબંધિત હતા.
ચીન આ પહેલા પણ અલગતાવાદીઓને ટેકો આપતું રહ્યું છે
ચીનના અખબારમાં એવું કહેવામાં આવ્યું છે કે તાઇવાન કાર્ડ રમીને ભારત પોતાના હિતોને નુકસાન પહોંચાડી રહ્યું છે. ચેંગ્ડુ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વર્લ્ડ અફેર્સના પ્રમુખ લોંગ જીંગચને કહ્યું છે કે જો ભારતના ભાગલાવાદીઓને ચીનનું સમર્થન મળે તો તેઓ બળવો શરૂ કરી શકે છે. અલગાવવાદીઓના મ્યાનમારની સુરક્ષા દળો સાથે ગાઢ સંબંધ હોવાનું પણ કહેવાય છે.