વિરાટ કોહલી 2012માં ડેનિયલ વિટ્ટોરીની જગ્યાએ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન બન્યો હતો. આજ સુધી બેંગ્લોરને ચેમ્પિયન બનાવી શક્યો નથી. શુક્રવારે એલિમિનેટર મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે જીત મેળવીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવી લીધુ છે. જેના પર ગૌતમ ગંભીરે નિવેદન આપ્યુ છે કે RCBની સમસ્યા લીડરશીપથી શરૂ થાય છે.
ગૌતમે આપ્યુ ગંભીર નિવેદન
ટીમની પ્રોબ્લેમ લીડરશીપથી શરૂ
કોહલીને કપ્તાનીમાંથી કાઢવો જરૂરી
કોહલીને લીધો નિશાને
ગૌતમ ગંભીરે નિવેદન આપતા કહ્યું કે, ટીમની પ્રોબલ્મની શરૂઆત લીડરશીપથી થાય છે. જ્યાં સુધી લીડર જવાબદારી નહી લે ત્યાં સુધી ટીમ મૅચ હાર્યા કરશે અને કોઇ દિવસ ટ્રોફી જીતી શકશે નહી. મને કોચ અને સ્ટાફ પર દયા આવે છે, કારણકે પ્રોબ્લેમ કોઇ બીજી જ જગ્યાએ છે અને દર વર્ષે બીજા લોકો બદલાઇ જાય છે.
ગંભીરે વધુમાં કહ્યું કે, જો હું RCB માટે નિર્ણય લેતો હોત તો 100% કોહલીને કપ્તાનીમાંથી કાઢી દેત. ક્યો એવો ખેલાડી હોત કે જેને 8 વર્ષ સુધી તક મળી તેમ છતાં ટ્રોફી ન જીતાડી શક્યો અને કપ્તાની ચાલુ રાખી.
ગૌતમે કહ્યું કે, મારા મનમાં કોહલી માટે કોઇ દ્વેષ નથી પરંતુ જે સત્ય છે તે સ્વિકારવું જોઇએ કે તેના કારણે ટીમ ક્યારેય ટ્રોફી નથી જીતી. ધોનીએ 3 અને રોહિતે 4 ટાઇટલ જીત્યા છે. રોહિત પણ 8 વર્ષ સુધી ટાઇટલ ન જીત્યા હોત તો તેને પણ કાઢવામાં આવ્યો હોત.
જે બાદ સોશ્યલ મિડીયા પર પણ વિરાટ કોહલીને ટ્રોલ કરવામાં આવ્યો હતો. જો કે આઇપીએલ શરૂ થાય એટલે તરત જ કોહલીને અને બેંગ્લોરની ટીમનો ટ્રોલિંગનો સામનો કરવો જ પડે છે.