શિવસેના ધારાસભ્ય સંજય ગાયકવાડે એવું જણાવ્યું કે મને કોરોનાના કિટાણું મળે તો હું દેવેન્દ્ર ફડણવીસના મોંઢામાં નાખી દઉં.
શિવસેનાના ધારાસભ્ય સંજય ગાયવકવાડે કરી વિવાદીત ટીપ્પણી
પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની વિરૃદ્ધ આ ટીપ્પણી ભાજપ ખફા
શિવસેનાને હદમાં રહેવાની આપી સલાહ
બુલઢાણાના શિવસેના ધારાસભ્યે મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષી ભાજપ નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસની વિરૃદ્ધ આ ટીપ્પણી કરીને વિવાદ ખડો કર્યો છે.
સંજય ગાયવકવાડનો એક વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો તેમાં તેઓ એવું કહેતા સંભળાતા હતા કે મને કોરોનાના કીટાણું મળે તો હું ફડણવીસના મોંઢામા નાખી દઉ.તેમણે કહ્યું કે મને ફડણવીસ પર એટલી નફરત છે કે હું આ કામ કરતા પણ ન અચકાઉ.
अगर मुझे कोरोना के कीटाणु मिलते तो मैं उन्हें देवेंद्र फडणवीस के मुंह में डाल देता : शिवसेना विधायक संजय गायकवाड़ का विवादस्पद बयान @news24tvchannelpic.twitter.com/9BbBOUtgWh
કોરોનાના મુદ્દે રાજનીતિ કરવાનો ફડણવીસ પર આરોપ મૂકતા ગાયવકવાડે જણાવ્યું કે શું આ સમય રાજનીતિ કરવાનો છે. કટોકટીની ઘડીમાં મોદી સરકાર અને ફડણવીસ રાજનીતિ કરતા શરમ આવવી જોઈએ. શું દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના સીએમ હોય તો શું તેઓ આવો ભેદભાવ કરતા હોત. અમારી સરકાર નિષ્ફળ નીવડી છે તેવું સાબિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પરંતુ આવા પ્રયાસમાં લાખો લોકોએ તેમના જીવન ગુમાવ્યાં છે અને આ માટે કોણ જવાબદાર છે.
ગાયકવાડે ઉમેર્યું કે એકબાજુ તમામ મંત્રીઓ કોરોનાને કાબૂમાં કરવા તનતોડ મહેનત કરી રહ્યાં છે ત્યારે વિપક્ષ મદદ કરવાને બદલે અમારા પ્રયાસોની ઠેકડી ઉડાવી રહ્યો છે. દેવેન્દ્ર ફડણવીસ પરની આ ટીપ્પણી બાદ ભાજપ ખફા થયું છે. ભાજપે શિવસેનાને હદમાં રહેવાની સલાહ આપી છે.
મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોનાના કેસો
કોરોના વાયરસની બીજી લહેરે ભારતને હચમચાવી દીધું છે. નવા વર્ષના આગમન પર ભારતીયોને લાગી રહ્યું હતું કે મહામારીથી રાહત મળી ગઈ છે. ફેબ્રુઆરી આવતા આવતા સામાન્ય જનતાથી લઇને નેતા અને ત્યાં સુધી તમામ ડૉક્ટર પણ એવું માનવા લાગ્યા કે મહામારીની વ્યાપકતાથી ભારતે જીત મેળવી લીધી છે. જ્યારે દેશ કોરોનાકાળ પહેલાની સ્થિતિ બેહાલ થતો જોઇ રહ્યું હતું, ત્યારે સંક્રમણે નવેસરથી માથુ ઉચકવાનું શરૂ કરી દીધુ અને જોતજોતામાં દિવસેને દિવસે કોરોનાના દર્દીઓની સંખ્યા અઢી લાખને પાર થઇ ગઈ. જોકે વેક્સિનેશન મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યું છે.
કોરોનાની બીજી લહેર ઝડપી થવા પાછળ લોકોએ બેદરકારી દાખવી
કોરોનાની બીજી લહેર ઝડપી બનવા પાછળ લોકો તરફથી જરૂરી સાવધાની ન વર્તવામાં આવી અને બીજુ કોરોના વાયરસના સ્ટ્રેન પૈદા થઇ જવા. કોરોનાના બદલતા રૂપે અનેક ગણા ઝડપથી સંક્રમણ ફેલાવવાની સાથે ઓછી ઉંમરના લોકોને પણ પોતાની ઝપેટમાં લઇ રહ્યો છે. કોરોનાના બદલતા સ્ટ્રેન બ્રિટેન, દક્ષિણ આફ્રિકા, બ્રાઝિલ સહિતમાં ઉદ્ભવ્યા અને ભારત આવી ચૂક્યા છે. એ પણ સ્પષ્ટ છે કે કોરોના વાયરસના કેટલાક સ્ટ્રેન ભારતમાં વકર્યા છે. આ બ્રિટેન, આફ્રિકા, બ્રાઝીલથી આવેલા કોરોનાના સ્ટ્રેને નવી રૂપ એટલે ડબલ વેરિએન્ટ પણ થઇ શકે છે. જોકે કહેવું આકરું છે કે કોરોના વાયરસ કયો સ્ટ્રેન કેટલો ઘાતક સાબિત થઇ રહ્યો છે, પરંતુ તેમાં શંકા નથી કે તેના પર લગામ નથી દેખાઇ રહી.
કોરોનાની બીજી લહેરથી બચવા માટે સાવધાની વર્તવી પડશે
જો કોરોનાની બીજી લહેરથી બચવું છે તો વધુ સાવધાની વર્તવા સિવાય બીજો કોઇ ઉપાય નથી. કોરોનાની બીજી લહેર એટલી ઘાતક ન બનત જો લોકોએ માસ્ક લગાવીને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને સતર્કતા વરતી હોત. જો દરેક નાગરિક એ નક્કી કરી લે કે તેઓ કારણ વગર બહાર નહીં નિકળે અને માસ્ક લગાવવાની સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સાથે પોતાના સ્વાસ્થ્યની પણ ચિંતા કરશે તો પરિસ્થિતિ બદલી શકે છે. રાજ્ય સરકારો તરફથી રાત્રિ કર્ફ્યુ લગાવવા જેવા જે પગલા ઉઠાવવામાં આવી રહ્યા છે, તે લોકો માટે ચેતવણી છે. આ ચેતવણીને સમજવી જોઇએ. આ સાથે એ પણ સમજવું જોઇએ કે જો પરિસ્થિતિ નહીં સુધરે તો મજબૂરીમાં લૉકડાઉન લગાવવું પડી શકે છે. જો આવું કંઇ થશે તો સામાન્ય માણસની મુશ્કેલીઓ હજુ વધશે.