કોરોનાના ડરને કારણે એક વૃદ્ધને તેમના જ પરિવારના લોકોએ ભગવાન ભરોસે છોડી દીધા તો દિલ્હી પોલીસ તેમની વ્હારે આવી હતી.
કોરોનાના ડરને કારણે એક વૃદ્ધને તેમના જ પરિવારના લોકોએ ભગવાન ભરોસે છોડી દીધા તો દિલ્હી પોલીસ તેમની વ્હારે આવી હતી.
કોરોના પેશન્ટ સાથે પરિવારનો ખરાબ વ્યવહાર
દીકરીએ કર્યો પોલીસને ફોન
વૃદ્ધે લખ્યું મરી જાઉં તો પોલીસને સોંપી દેજો દેહ
એક કોન્સ્ટેબલે વૃદ્ધનો જીવ બચાવ્યો અને દવાખાનામાં દાખલ કરાવ્યા હતા. મળતી માહીતી અનુસાર રવિવાર સવારે 11 વાગે ઓલ્ડ રાજેન્દ્ર નગરમાં રહેતા એક વૃદ્ધની દીકરીએ પીસીઆર પર કોલ કરીને કહ્યું કે તેના પિતાને છેલ્લા થોડા દિવસથી તાવ છે. દર્દીને અન્ય ગંભીર પ્રોબ્લેમ્સ હોવાની જાણકારી પણ તેણે આપી હતી પરંતુ સાથે તે પણ કહ્યું કે તેને ડર છે કે તેના પિતાને કોરોના થયો છે જેના કારણે તે તેની પાસે જવા ઇચ્છતી નથી. સૂચના મળતા જ કોન્સ્ટેબલ ત્યાં ગયો તો દ્રશ્ય જોઇને હેરાન થઇ ગયો. ઘર બાહાર એક પોસ્ટર માર્યુ હતુ અને ત્યાં રહેતા 80 વર્ષના મુરલીધરે લખ્યુ હતુ કે જો તેમનુ મોત થઇ જાય તો લાશ પોલીસને આપી દેવામાં આવે.
તપાસમાં જાણવા મળ્યુ કે તે ઘરના થર્ડ ફ્લોર પર રહેનાર મુરલીધર સીઆઇડી ઓફિસર રહી ચૂક્યા છે. તેમની ત્રણ દિકરીઓ છે. તેમની બે દીકરીઓ દિલ્હીમાં રહે છે અને એક બહાર રહે છે. કાલકાજીમાં રહેતી તેમની દીકરીએ પોલીસને ફોન કરીને તેમના વિશે સુચના આપી હતી. કોન્સ્ટેબલે એમ્બ્યુલન્સ બોલાવી પરંતુ મુરલીધરે જવાની જ ના પાડી દીધી તો એમ્બ્યુલન્સને પાછી મોકલવી પડી હતી. બાદમાં અન્ય એક કોન્સ્ટેબલને બોલાવવો પડ્યો અને બંને પીપીઇ કીટ પહેરીને ઉપર ગયા બાદમાં વૃદ્ધને સમજાવીને દવાખાને લઇ ગયા હતા.
આ દરમિયાન પોલીસ કર્મચારીઓને પણ પોતાની જાતને સંક્રમણથી બચવાની સંપૂર્ણ કોશિશ કરવાની હતી. ઘરથી હોસ્પિટલ લઇ જતા 3 કલાકનો સમય લાગ્યો અને હોસ્પિટલ ગયા બાદ જમવાનુ દુધ અને જ્યુસ આપ્યુ પરંતુ વૃદ્ધે કંઇ ન ખાધુ માત્ર પાણી માંગ્યુ અને તેમની તપાસ થતા સામે આવ્યું કે ઘણુ ઇન્ફેક્શન છે. ઓક્સિજન લેવલ પણ ઘણુ ઓછુ છે, જે બાદ ડૉક્ટર્સે મુરલીધરને દવાખાનામાં દાખલ કરી દીધો અને તેમની દીકરીને ફોન કરીને પણ જણાવી દીધુ હતુ. તેની દીકરીએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.