લતાજી કહેતા હતા કે મને જે જોઈએ છે તેના કરતાં વધુ મળ્યું છે પણ મારી પાસે એ સુખ અને શાંતિ નથી અને માનવજીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સુખ અને શાંતિ છે.
લતા મંગેશકરના નિધનને એક વર્ષ પુર્ણ થઈ ગયું છે
લતાજી બીજા જનમમાં લતા મંગેશકર બનવા માંગતા ન હતા
લતા મંગેશકરની મુશ્કેલીઓ વિશે બસ લતા જ જાણે છે..
કોઈએ લતા દીદીને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો હતો
સુપ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરનું નિધન થયું તેને એક વર્ષ પુર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે ગયા વર્ષે આ દિવસે એટલે કે 6 ફેબ્રુઆરીએ લતાજીએ આ દુનિયાને અલવિદા કહી દીધું હતું. આપણે બધા જાણીએ છીએ કે લતાજીની વિદાયથી સૌની આંખોમાં આંસુ આવી ગયા હતા. આજ સવારથી જ તેમના ફેન્સ સોશ્યલ મીડિયા પર ખાસ પોસ્ટ લખીને તેમને યાદ કરી રહ્યા છે. લતાજી પાસે નામ અને ખ્યાતિ બધું જ હતું પણ તેમ છતાં તેઓ ફરીથી બીજા જનમમાં લતા મંગેશકર બનવા માંગતા ન હતા.
લતાજી ફરી કેમ લતા મંગેશકર બનવા નહતા માંગતા
મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોર થવાને કારણે ગયા વર્ષે મુંબઈમાં લતા મંગેશકરનું અવસાન થયું હતું. આજે તેમની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે અમે તમને તેમની સાથે સંબંધિત એક કિસ્સો જણાવવા જઈ રહ્યા છીએ. એક વખત જાવેદ અખ્તરે તેને એક શોમાં એમને પૂછ્યું હતું કે, જો તે ફરીથી જન્મ લે તો શું તે ફરીથી લતા મંગેશકર બનવાનું પસંદ કરશે? આ પ્રશ્નના જવાબ પર એમને કહ્યું હતું કે, મને પહેલા પણ કોઈએ આ જ સવાલ પૂછ્યો હતો હું ફરી એ જ જવાબ આપવા માંગુ છું કે મને ફરી ન જન્મ મળે તો સારું છે અને જો જન્મ મળે તો પણ હું લતા મંગેશકર બનવાનું પસંદ નહીં કરું.
લતા મંગેશકરની મુશ્કેલીઓ વિશે બસ લતા જ જાણે છે..
એ ઇન્ટરવ્યૂમાં લતાજીનો એ જવાબ સાંભળીને જાવેદ અખ્તર ખૂબ જ ચોંકી ગયા હતા ત્યાર બાદ તે પૂછે છે, કારણ કે લતા મંગેશકરની સમસ્યાઓ માત્ર લતા જ જાણે છે. તેની પાછળનું કારણ ખુદ સુપરસ્ટાર ધર્મેન્દ્રએ જણાવ્યું હતું. આ વિશે ધર્મેન્દ્રએ કહ્યું હતું કે, લતાજી એ મને ઘણી વખત કહ્યું હતું કે તે આવતા જન્મમાં લતા તરીકે જન્મવા નથી માંગતી. જો કે લતાજીને બીજો જન્મ જોઈતો નહોતો. આખી દુનિયા તેમના માટે પાગલ છે, તેમની પૂજા કરે છે અને તે લતા મંગેશકર તરીકે ફરીથી જન્મ લેવા નથી માંગતા તેની પાછળનું કારણ તેમનો સંઘર્ષ હતો. તેઓ બાળપણથી જ ઘણો સંઘર્ષ કરીને મોટા થયા હતા અને તેમના બાળપણના એ દુ:ખ હંમેશા તેમની સાથે હતા. પૈસા ક્યારેય બધા દુ:ખ દૂર કરી શકતા નથી અને પૈસા લોકોને બધી ખુશીઓ પણ આપી શકતા નથી. તે કહેતા હતા કે મને જે જોઈએ છે તેના કરતાં વધુ મળ્યું છે પણ મારી પાસે એ સુખ અને શાંતિ નથી અને માનવજીવનની સૌથી મહત્વપૂર્ણ વસ્તુ સુખ અને શાંતિ છે.
5 વર્ષની લતાને પિતાએ તેને સંગીત શીખવવાનું નક્કી કર્યું
જણાવી દઈએ કે લતા દીદીના પિતા સંગીતકાર હતા. આ કારણથી ઘરમાં આખો સમય સંગીતનો માહોલ રહેતો. લોકો તેમની પાસે સંગીત શીખવા આવતા, દિવસભર નાટકોના ગીતોનું રિહર્સલ થતું. આ સાથે જ લતા દીદી પણ સંગીત સાંભળતા હતા. એ વર્ષની ઉંમરે પિતાએ લતાજીને ગીત ગાતા સાંભળી ગયા હતા અને આ ઘટના પછી તેમના પિતા તેમને દરરોજ સવારે 6 વાગ્યે ઉઠાડીને સંગીત શીખવવાનું શરૂ કર્યું હતું.
કારકિર્દીનું પહેલું ગીત
જણાવી દઈએ કે 1942ની ફિલ્મ કીટી હસલના સંગીતકાર સદાશિવરાવ નિવરેકર લતાના પિતાના ખૂબ સારા મિત્ર હતા. આ ફિલ્મ માટે તેને લતાના અવાજમાં એક ગીત જોઈતું હતું પણ પિતા દીનાનાથને નહતા ઈચ્છતા કે લતા દીદી ક્યારેય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરે જો કે એ પછી ફિલ્મમાં લતાએ એક ગીત ગાયું હતું પણ તે ફિલ્મ કે તે ગીત ક્યારેય રિલીઝ થયું જ નહતું.
આર્થિક સ્થિતિને કારણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા લતાજી
લતા દીદીના પિતાનું એપ્રિલ 1942માં અવસાન થયું હતું અને એ પછીથી પરિવારની સમગ્ર જવાબદારી લતાના ખભા પર આવી ગઈ હતી એન એ દરમિયાન માસ્ટર વિનાયકે તેની મરાઠી ફિલ્મ પહેલી મંગલા ગૌર માટે તેનો સંપર્ક કર્યો. લતાજીને એ સમયે પૈસાની જરૂર હતી એટલા માટે એમના હા કહી હતી અને એ બાદ એમને ફિલ્મમાં નાનો રોલ પણ કર્યો હતો. બંનેએ સાથે મળીને ફિલ્મનું ગીત નતાલી ચૈત્રાચી નવલાઈ પણ ગાયું હતું. આ ગીત માટે તેને 25 રૂપિયા અને ફિલ્મના રોલ માટે કુલ 300 રૂપિયા ફી મળી હતી.
16 दिसम्बर 1941 को,ईश्वर का पूज्य माई और बाबा का आशिर्वाद लेकर मैंने रेडीओ के लिए पहली बार स्टूडीओ में २ गीत गाए थे.आज इस बात को 80 साल पूरे हो रहे हैं.इन 80 सालों में मुझे जनता का असीम प्यार और आशिर्वाद मिला है,मुझे विश्वास है की आपका प्यार,आशिर्वाद मुझे हमेशा यूँही मिलता रहेगा. pic.twitter.com/YwFTkkPMnb
પાતળો અવાજ છે એમ કહીને રિજેક્ટ કરવામાં આવી
લતા દીદીને માસ્ટર હૈદર અલીને મળવા પિતરાઈ ભાઈ સાથે માસ્ટર ગુલામ હૈદર અલીના સ્ટુડિયોમાં મળવા ગયા હતા જ્યાં માસ્ટર હૈદર અલીએ લતાનો પરિચય નિર્માતા શશધર મુખર્જી સાથે કરાવ્યો, જેઓ તે સમયે ફિલ્મ શહીદમાં કામ કરી રહ્યા હતા પણ તેમણે લતાને કામ આપવાની ના પાડી હતી. મુખર્જીએ કહ્યું- આ છોકરીનો અવાજ ઘણો પાતળો છે. આ અંગે માસ્ટર હૈદર અલીએ કહ્યું- આવનારા દિવસોમાં નિર્માતા અને નિર્દેશકો આ છોકરીના પગે પડીને તેને તેમની ફિલ્મમાં ગાવાની વિનંતી કરશે.
મધુબાલાનો અવાજ બનીને મળી મોટી ઓળખ
જણાવી દઈએ કે 1948માં લતા દીદીએ ફિલ્મ મહલનું ગીત આયેગા આને વાલા ગાયું હતું. આ ગીત મધુબાલા પર ચિત્રિત કરવામાં આવ્યું હતું અને આ એ જ ગીત હતું જેને કારણે લતા દીદીને હિન્દી સિનેમામાં ગાયિકા તરીકે ઓળખ આપી હતી.
લતાદીદી પોતાના ગીતો ન સાંભળતા
એક કિસ્સો એ પણ પ્રખ્યાત છે કે લતા દીદીએ તેમના દ્વારા ગાયેલા ગીતો સાંભળ્યા ન હતા. તેણી માનતી હતી કે જો તેણી પોતે ગીતો સાંભળશે, તો તેણીને ચોક્કસપણે 100 ખામીઓ મળશે.
नमस्कार. आप सबको दीपावली की हार्दिक शुभकामनाएँ.आप सब ख़ुश रहें और ईश्वर की कृपा दृष्टि आप पे सदैव बनी रहे यही मंगल कामना. pic.twitter.com/1C5K0xpKRb
કોઈએ લતા દીદીને ઝેર આપીને મારવાનો પ્રયાસ કર્યો...
33 વર્ષની ઉંમરે લતા સ્વરા કોકિલા બની ગઈ હતી. કોઈને તેની પ્રગતિની એટલી ઈર્ષ્યા થઈ કે તેણે તેને ઝેર આપીને મારી નાખવાનો પ્રયાસ કર્યો. જણાવી દઈએ કે લતાના જીવનનો આ સૌથી મુશ્કેલ અને ભયાનક તબક્કો હતો. આ કારણે તેણે 3 મહિના સુધી બેડ પર રહેવું પડ્યું અને શરીર એટલું નબળું થઈ ગયું હતું કે તે પથારીમાંથી પણ ઉઠી નહતા શકતા. એવી પણ અફવા હતી કે આ અકસ્માતને કારણે લતા દીદીએ પોતાનો અવાજ ગુમાવ્યો હતો. જોકે, બાદમાં તેણે આ વાતને નકારી કાઢી અને કહ્યું- મેં ક્યારેય મારો અવાજ ગુમાવ્યો નથી.
જો કે લતા દીદીને ખબર પડી કે તેમને કોણે ઝેર આપ્યું હતું. તેની પાસે તે વ્યક્તિ વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા નહોતા અને એ કારણે તેની સામે પોલીસ કાર્યવાહી થઈ શકી નહતી. આ સિવાય લતા મંગેશકારે એમના જીવનમાં ઘણી તકલીફો જોઈ છે અને જવાબદારીને કારણે એમને લગ્ન પણ કર્યા નહતા. લગભગ એટલા માટે જ લતાજી બીજા જનમમાં લતા મંગેશકર ણઆહતા બનવા માંગતા.