પતિ પત્નીના ઝઘડા અને ફરી બાળકની કસ્ટડીના મામલે અલાહાબાદ હાઇકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. જેમાં તેમણે સ્પષ્ટ રીતે કહ્યું હતું કે તમારે સમાધાન થાય તો પણ આદેશ તો યથાવત જ રહે છે
અલહાબાદ હાઇકોર્ટનો મહત્વનો ચુકાદો
કોર્ટની બહાર જો પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જાય તો પણ આદેશ તો પાલન થવું જ જોઈએ
કોર્ટે બાળકની 10 વરસ માટે માતાને સોંપી કસ્ટડી
પતિ પત્નીના ઝઘડા અને ફરી બાળકની કસ્ટડીના મામલે અલહાબાદ હાઇકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે કહ્યું હતું કે કોર્ટની બહાર જો પતિ પત્ની વચ્ચે સમાધાન થઈ જાય તો પણ તેનાથી કોર્ટનો આદેશ પૂરો નથી થઈ જતો. એનું પાલન તો થવું જ જોઈએ.
પતિ પત્નીની વચ્ચે સાથે રહેવા માટે સમજૂતી થઈ ગઈ
જ્યાં સુધી કોર્ટની મંજૂરી ન મળે ત્યાં સુધી કોર્ટના આદેશનું પાલન કરવાની જવાબદારી બંને પક્ષની છે. હાઇકોર્ટે બાળકની કસ્ટડી માટે દસ વર્ષની ઉંમર સુધી માં ને સોંપવાની વાત કરી હતી. આ આદેશ બાદ પતિ પત્નીની સાથે રહેવા માટે સમજૂતી થઈ ગઈ હતી. પરંતુ આ વધારે સમય સુધી ચાલી શક્યું ન્હોતું અને ફરી બંને વચ્ચે ઝઘડા થવાના શરૂ થઈ ગયા હતા. ત્યાર બાદ પતિ પત્નીએ ઘર છોડી દીધું હતું. પતિએ જબરદસ્તી બાળકને પોતાની પાસે રાખી લીધું હતું જેના કારણે પત્ની શ્વેતા ગુપ્તાએ કસ્ટડી માટે પતિ ડૉક્ટર અભિજીત કુમાર વિરુદ્ધ કોર્ટના આદેશની અવગણના કરવાનો કેસ દાખલ કરી દીધો હતો.
10 વર્ષ સુધી માતા પાસે રહેશે બાળક
અગાઉના આદેશ મુજબ જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે કહ્યું હતું કે બાળકની કસ્ટડીનો અધિકાર 10 વર્ષની ઉંમર સુધી માં ને મળશે અને કોર્ટની બહાર થયેલ સમજૂતીના કારણે તેમ કોઈ ફરક પડશે નહીં. કોર્ટે બાળકની ઈચ્છા અનુસાર તેને કોની સાથે રહેવાનું પસંદ છે એ પૂછીને તેની મમ્મી સાથે રહેવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ જ તેને માતાની કસ્ટડી સોંપવાનો નિર્ણય લીધો હતો. કોર્ટે હવે આ મામલે પતિ પાસે ખુલાસો માંગ્યો છે અને આગળની સુનાવણી જુલાઇ મહિનામાં કરવાનું જાહેર કર્યું છે.
ઉલ્લેખનીય છે કે પતિ પત્ની વચ્ચે વિવાદ પર બંને અલગ રહેવા લાગ્યા હતા પિતાએ નાનકડા બાળક આરવની કેરકાયદે બંદી બનાવવા વિરુદ્ધ અરજી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે આર્વ 10 વર્ષ સુધી માં સાથે રહેશે. પિતા અને દાદા અઠવાડિયે એક વખત ત્રણ કલાક માટે બપોરે મળી શકશે. કોર્ટે પતિએ જમાં કરાવેલ 15 હજાર રૂપિયા પણ માતાને આપવાનો આદેશ આપ્યો હતો.