કેન્દ્ર સરકાર અને કિસાન યુનિયનોની વચ્ચે સવારથી ચાલી રહેલી રહેલી બેઠક સાંજે પૂર્ણ થઇ હતી જેના પછી પ્રેસ કોન્ફેરન્સમાં કૃષિ મંત્રી તોમરે કહ્યું હતું કે સરકાર ઉપર ખેડૂત યુનિયનોને ભરોસો છે કેમ કે તેના લીધે જ તેઓ આગામી 8 જાન્યુઆરીએ યોજાનાર નવી બેઠકમાં ચર્ચા કરવા માટે તૈયાર થયા છે.
આજની બેઠક બાદ કૃષિ મંત્રીએ કરી પ્રેસ કોન્ફરન્સ
ખેડૂતોને સરકાર પર ભરોસો, સરકાર સંવેદનશીલ છે : કૃષિ મંત્રી
આજે વિજ્ઞાન ભવનમાં કેન્દ્ર સરકાર અને 40 જેટલા કિસાન યુનિયનના પ્રતિનિધિઓ વચ્ચે બેઠક યોજાઈ હતી આ બેઠક 30મી ડિસેમ્બરના રોજ યોજાયેલી બેઠકના પૃષ્ઠભૂમિને લઈને યોજાઈ હતી જેમાં એમએસપી અને કૃષિ કાયદાને લઈને વાતચીત થઇ હતી, પરંતુ એકવાર ફરીથી આ બેઠકથી કોઈ સમાધાન નીકળી શક્યું નથી અને ખેડૂતો અને સરકાર વચ્ચેની મડાગાંઠ યથાવત રહી છે.
કિસાન યુનિયનોને વિશ્વાસમાં લીધા પછી જ નવી તારીખ જાહેર કરાઇ છે : તોમર
આ બેઠક પછી કૃષિ મંત્રીએ પત્રકારોના જવાબ આપતા જણાવ્યું હતું કે ખેડૂતોને સરકાર પર ભરોસો છે અને સરકાર તેમના પ્રત્યે સંવેદનશીલ છે, જેનું જ પરિણામ છે કે ખેડૂતો 8મી જાન્યુઆરીએ ફરીથી ચર્ચા કરવા તૈયાર થયા છે, આ તારીખ અમે કિસાન યુનિયનોને વિશ્વાસમાં લઈને પછીથી જાહેર કરીએ છીએ, સરકાર કોઈ પણ તારીખ એમ જ જાહેર કરતી નથી.
વધુમાં કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતો ઈચ્છે છે કે સરકાર સમાધાન શોધે અને ખેડૂતો આંદોલન સમાપ્ત કરે. કૃષિ મંત્રીએ કહ્યું હતું કે હતું કે આજની ચર્ચા સારી રીતથી સમાપ્ત થઇ હતી અને બંને પક્ષો તેને લઈને આશાવાદી છે. જો કે આવા મુદ્દદાઓમાં ઘણી વાર વધુ રાઉન્ડની વાતચીત યોજાતી હોય છે, કેમ કે કરોડો ખેડૂતોનું હિત તેમાં જોડાયેલું હોય છે અને સરકાર સમગ્ર દેશને ધ્યાને રાખીને નિર્ણય કરતી હોય છે