ગુજરાતમાં ડ્રિપ આધારિત ખેતી માં સાબરકાંઠાના ખેડુતો અન્ય જિલ્લાની સરખામણીએ અગ્રીમ હરોળમાં રહ્યા છે ત્યારે સૂક્ષ્મ પિયતથી કોઈપણ ખેતીમાં કિસાનોને ઓછા પાણીએ વધુ સારી ખેતી કરે છે
સાબરકાંઠામાં ડ્રીપ ઈરીગ્રેશનથી ખેતી
ઓછા ખર્ચ-મજુરી,સાથે ઉત્પાદન વધુ
બટાકાનુ વિપુલ પ્રમાણમાં વાવેતર-ઉત્પાદન
ગુજરાતમાં ડ્રિપ આધારિત ખેતી માં સાબરકાંઠાના ખેડુતો અન્ય જિલ્લાની સરખામણીએ અગ્રીમ હરોળમાં રહ્યા છે ત્યારે સૂક્ષ્મ પિયતથી કોઈપણ ખેતીમાં કિસાનોને ઓછા પાણીએ વધુ સારી ખેતી કરી રહ્યા છે ત્યારે હાલમાં જિલ્લામાં બટાકાનુ સૌથી વધુ વાવેતર કરતા થયા છે તેમજ ઓછા ખર્ચની સાથે મજુરી ખર્ચ અને રાતના ઉજાગરાથી પણ ખેડુતોને રાહત મળી છે તેમજ ખેત ઉત્પાદન પણ વધી રહ્યું છે
છેલ્લા પાંચ વર્ષથી સાબરકાંઠાના ખેડુતો ડ્રીપ ઈરીગ્રેશન દ્રારા ખેતી કરી રહ્યા છે અને જેના પગલે ખેડુતોને વધુ પ્રમાણમાં ફાયદો થયો છે જોકે સરકાર દ્રારા ડ્રીપ ઈરીગ્રેશનમાં સબસિડી અપાય છે અને ખેડુતોને ખેતીમાં મોટા પ્રમાણમાં ફાયદો થયો છે જોકે પહેલા ખેડૂતો પાકને સિંચાઇ નું પાણી આપવા માટે વધારે માણસો ની પણ જરૂર પડતી હતી જોકે ડ્રીપ ઈરીગ્રેશન થકી ખેતર માં પાણી આપવા માટે એક વાલ ખોલતા આપો-આપ છોડના મુળ સુધી પાણી પહોચી જાય છે તેમજ ફુગનાશક દવાઓ કે ખાતર પણ ડ્રીપ દ્રારા જ અપાય છે અને જેના થકી સમય અને મજુરી ખર્ચ પણ બચે છે.
પ્રાંતિજ તાલુકાના તખતગઢ ગામે 100 ટકા ખેડુતો છેલ્લા 5 વર્ષથી વધુના સમયથી ડ્રીપ પધ્ધતીથી જ બટાકાનુ વાવેતર કરે છે. ડ્રીપ ઈરીગેશનથી પાણીનો છઁટકાવ કરે જેનાથી તેમણે અનેક ફાયદા થયા છે તો આ ઉપરાંત તેમણે ઉત્પાદન પણ સારુ મળી રહેશે અને પાણોનો બગાડ પણ ન થાય તો ખાતર દવાઓનો પણ બગાડ નથી. છોડને જેટલા પ્રમાણમાં પાણી જોઈએ તે પાણી આ પધ્ધતીથી અપાય છે અને આર્થીક ફાયદો પણ થાય છે અને વધુમાં રાતના ઉજાગરા પણ બચી જાય છે જેથી ખેડુતોએ આ પધ્ધતી અપનાવી છે. તો ઓછા પાણીની ખેતરમાં ક્ષાર ઓછો થાય છે અને જેના કારણે ઉત્પાદન પણ વધે છે તો નીંદામણ પણ થતુ નથી અને સીધુ પાણી છોડના મુળીયાને મળી રહે છે.
આમ તો પહેલા રાત્રે પાણી વાળીને ઉજાગરા સહિત માણસો થકી દવા અને ખાતર પણ નાખવુ પડતુ હતુ જોકે ડ્રીપ ના કારણે ખેડુતોને મોટા પ્રમાણમાં ફાયદો થઈ રહ્યો છે અને ઓછા પાણીએ વધુ ઉત્પાદન પણ મેળવી રહ્યા છે.