નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે જે લોકોનો વાર્ષિક PF અને VPF 2.5થી વધારે છે તો તેમના મળતા વ્યાજ પર ટેક્સ લાગશે.
PF ખાતા માટે નવા નિયમો
વ્યાજ પર લાગશે ટેક્સ
જાણો શું છે નવા નિયમો
CBDTએ EPF જમાના વ્યાજ પર ટેક્સ ગણવાનો નિયમ જાહેર કરી દેવામાં આવ્યો છે. આ ઈપીએફમાં વાર્ષિક 2.5 લાખ રૂપિયાથી વધારે યોગદાનને લઈને છે. નવા નિયમોની જોગવાઈ હેઠળ યોગ્ય વ્યાજની ગણતરી માટે પ્રોવિડન્ટ ફંડના ખાતાની અંદર એક અલગ ખાતુ ખુલશે.
વર્ષ 2021ના બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જે લોકોનું ઈપીએફ અને વીપીએફમાં વાર્ષિક યોગદાન 2.5 લાખ રૂપિયાથી વધારે છે. તેમને મળતા વ્યાજ પર ટેક્સ લગાવવામાં આવશે. CBDTએ આ વર્ષ 31 ઓગસ્ટે આ વિશે એક નોટિફિકેશન જાહેર કરી છે.
31 માર્ચ 2021 સુધી આ યોગદાન નોન-ટેક્સેબલ રહેશે
ઈપીએફમાં 31 માર્ચ, 2021 સુધી કોઈ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ યોગદાન નોન-ટેક્સેબલ રહેશે. નાણાકીય વર્ષ 2020-21 બાદ આ બન્ને ઈપીએફ ખાતા પર વ્યાજની ગણતરી અલગ અલગ થશે. નાણાકીય વર્ષ 2021-22 અને ત્યાર બાદના નાણાકીય વર્ષ માટે પ્રોવિડન્ટ ફંડની અંદર આ બે ખાતા બનાવવામાં આવશે.
સીટીબીટીએ જણાવ્યું કે આ નિયમ એક એપ્રિલ, 2022થી લાગુ થશે. નાણાકીય વર્ષ 2021-22માં જો પીએફ ખાતામાં 2.5 લાખ રૂપિયાથી વધુ જમા થાય છે તો તેના પર મળતા વ્યાજ પર ટેક્સ ચુકવવાનું રહેશે.
1 એપ્રિલ 2022થી નિયમ લાગુ
CBDTએ કહ્યું કે 1 એપ્રિલ 2022થી આ નિયમ અસ્તિત્વમાં આવશે. નાણાકીય વર્ષ 2021-22માં જો તમારા પીએફ એકાઉન્ટમાં 2.5 લાખથી વધારે જમા છે તો તમને મળતા વ્યાજ પર તમને ટેક્સ ચુકવવાનો રહેશે. તેને તમારે આવતા વર્ષના ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલિંગમાં પણ દર્શાવવાનું રહેશે. પીએફ એકાઉન્ટમાં દર વર્ષે 2.5 લાખ રૂપિયા જ લિમિટ પ્રાઈવેટ એમપ્લોઈ માટે છે.