ભોપાલ લોકસભા સીટથી કોંગ્રેસના મહાસચિવ અને રાજ્યસભાના સાંસદ દિગ્વિજયસિંહ ચૂંટણી મેદાનમાં છે. જેમની સામે ભાજપે સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને મેદાને ઉતાર્યા છે. જેમ જેમ ભોપાલમાં ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ઉમેદવારોના સમર્થકો નવા નવા નિવેદનો આપો રહ્યા છે. ધર્મના નામે કેટલાક લોકો રાજકારણ કરી રહ્યા છે. ત્યારે જોઇએ આશ્ચર્યમાં મુકી દે એવો દાવો.
વાત એવી છે કે, પંચાતતી શ્રી નિરંજની અખાડાના મહામંડલેશ્વર શ્રી વૈરાગ્યનંદ ગિરિ મહારાજે એક દાવો કર્યો છે. તેમણે કહ્યું કે, તેઓ દિગ્વિજયસિંહની જીત માટે પાંચ ક્વિન્ટલ મરચાનો હવન કરશે. જો દિગ્વિજયસિંહ આ ચૂંટણીમાં નહીં જીતે તો જ્યાં હવન કરીશ ત્યાં જ હું સમાધિ લઈશ.
જો કે, તેઓએ સમાધિની તારીખ અને જગ્યા હજુ સુધી સ્પષ્ટ કરી નથી. તેઓએ એવું પણ કહ્યું કે, આજે સનાતન ધર્મને વહેચવામાં આવી રહ્યો છે. ધર્મના નામે કેટલાક લોકો રાજકારણ કરી રહ્યા છે. તો હું કહેવા માગીશ કે હિન્દુત્વ પર રાજકારણ નહીં ચાલે. સનાતન ધર્મ પર રાજકારણ નહીં ચાલે. દિગ્વિજયસિંહ સાથે ભારતના સંતો છે.