રમજાનનો મહિનો મુસ્લીમ સમાજમાં ખુબ મહત્વનો માનવામાં આવે છે. રોઝા દરેક મુસલમાન માટે એક ફરજ છે પરંતુ બિમારી ધરાવતા લોકોએ ખાસ ધ્યાન આપવુ.
મધુપ્રમેહના દર્દીઓ રોઝામાં રાખજો ધ્યાન
રોજ ડાયબિટીઝ માપી લેવુ જોઇએ
વધારે ખાંડવાળા પીણા પીવાથી બચવુ
રોઝા માટે સવારે સહીરી કરવામાં આવે છે અને સાંજે ઇફ્તારમાં ઉપવાસ ખોલવામાં આવે છે. દરેક મુસલમાનની ઇચ્છા હોય છે કે રોઝા રાખે અને અલ્લાહની ઇબાદત કરે. કેટલાક લોકોના મનમાં રોઝાને લઇને ઘણા સવાલ હોય છે પરંતુ જો તમને ડાયાબિટીઝ હોય તો રોઝા રાખી શકાય?
અલીગઢ મુસ્લિસ યુનિવર્સીટીના સેમીનારમાં ઘણા પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા. જેનાથી તે ખ્યાલ આવી જાય કે ડાયાબિટીઝના દર્દીઓએ રોઝા રાખવા જોઇએ કે નહી.
ડાયબિટીઝના દર્દીઓ રાખે સાવધાની
કેટલાક રિપોર્ટ કહે છે કે આંતરિક ઉપવાસ હેલ્થ માટે ફાયદાકારક હોય છે પરંતુ ડાયબિટીઝના રોગીઓ માટે રોઝા ખતરનાક સાબિત થઇ શકે છે. માટે ડૉક્ટરની સલાહ લીધા બાદ જ રોઝા રાખવા જોઇએ.
રોઝાનો ડાયબિટીઝના રોગો માટે અલગ અલગ પ્રભાવ થઇ શકે છે. જે લોકોને વધુ પ્રમાણમાં ડાયબિટીઝ છે તેમનામાં રક્ત શર્કરા ઓછુ હોય છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ રોઝા રાખવાથી બચવુ જોઇએ.
ડાયબિટીઝ પિડીત લોકોને રમઝાનમાં ઓછામાં ઓછા એક મહિના પહેલાથી જ તેમના ડૉક્ટર્સની સલાહ લઇને તૈયારી કરવી જોઇએ. રોઝા દરમિયાન દવા પણ બદલવી પડે તેવું પણ બની શકે.
ડાયબિટીઝના દર્દીઓના રોગીઓને ઇફ્તાર અને સહરી દરમિયાન સંયમથી ભોજન કરવુ જોઇએ. તેમણે શર્કરાવાળા પીણા, તળેલા પદાર્થ અને વધુ કાર્બોડાઇડ્રેટ વાળા પદાર્થોથી બચવુ જોઇએ. રોજ ડાયબિટીસની તપાસ કરાવવી જોઇએ, તેનાથી રોઝા નથી ટુટતા.