જો ATMમાંથી રોકડ ઉપાડતી વખતે મશીનમાં જ પૈસા ફસાઈ જાય તો આવી સ્થિતિમાં ગભરાવાની જરૂર નથી. RBIએ પૈસા ઉપાડવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. આવો જાણીએ...
ATM યુઝર્સ માટે કામની ખબર
ATMમાં ફસાયેલા પૈસાને આ રીતે કાઢો
સાત દિવસની અંદર પરત મળશે પૈસા
આજના સમયમાં મોટાભાગના લોકો રોકડ ઉપાડવા માટે ATMનો ઉપયોગ કરે છે. પરંતુ તમે આવા સમાચાર ઘણી વાર સાંભળ્યા હશે કે કેશ ઉપાડતી વખતે ATMમાં જ પૈસા ફસાઈ જાય છે. આવી સ્થિતિમાં ઘણા લોકો ગભરાઈ જાય છે અને ફરીથી ATM મશીનમાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરે છે.
આ સ્થિતિમાં તમારે ગભરાવાની જરૂર નથી. જો તમારી સાથે પણ આવું થાય છે, તો આ સમાચાર ફક્ત તમારા માટે છે. આજે અમે તમને ATMમાં ફસાયેલા પૈસા પાછા મેળવવાની રીત જણાવવા જઈ રહ્યા છીએ.
બેંકનો આ રીતે કરો સંપર્ક
RBIના નિયમો અનુસાર જો ખાતાધારક તેની બેંકના ATM અથવા અન્ય કોઈ બેંકના ATMમાંથી પૈસા ઉપાડે છે અને રોકડ બહાર આવતી નથી. પરંતુ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. તો આવી સ્થિતિમાં તમારી બેન્કની કોઈપણ નજીકની શાખાનો સંપર્ક કરો. જો બેંક બંધ હોય, તો બેંકના કસ્ટમર કેર પર ફોન કરીને તેની જાણ કરો. તમારી ફરિયાદ નોંધવામાં આવશે. આ માટે બેંકને એક સપ્તાહનો સમય મળશે.
ટ્રાન્ઝેક્શન સ્લિપ પાસે રાખો
ATMમાંથી પૈસા ઉપાડતી વખતે આવી સ્થિતિમાં ટ્રાન્ઝેક્શન નિષ્ફળ થઈ શકે છે. પરંતુ તમારે તેની સ્લિપ રાખવી જોઈએ. તેથી સ્લિપ કાઢવાનું ક્યારેય ભૂલશો નહીં. જો કોઈ કારણોસર સ્લિપ ખોવાઈ ગઈ તો તમે બેંકને સ્ટેટમેન્ટ પણ આપી શકો છો. ટ્રાન્ઝેક્શન સ્લિપ મહત્વપૂર્ણ છે કારણ કે તે એટીએમ આઈડી, સ્થાન, સમય અને બેંકની તરફથી રિસ્પોન્સ કોડ વગેરે પ્રિન્ટ કરે છે.
\
બેંક 7 દિવસમાં પૈસા રિફંડ કરશે
આવા મામલાઓને ધ્યાનમાં રાખીને આરબીઆઈએ ખાસ ગાઈડલાઈન બનાવી છે. આ મુજબ આવા કિસ્સાઓમાં બેંકે 7 દિવસની અંદર ગ્રાહકોને પૈસા પાછા આપવા પડશે. જો બેંક એક અઠવાડિયાની અંદર તમારા પૈસા પરત ન કરે તો તમે તેના માટે બેંકિંગ ઓમ્બડ્સમેનનો સંપર્ક કરી શકો છો. જો બેંક 7 દિવસની અંદર ગ્રાહકોને પૈસા પરત કરવામાં સક્ષમ નથી. તો તે પછી બેંકે ગ્રાહકને દરરોજ 100 રૂપિયા ચૂકવવા પડશે.