દેવા હેઠળ દબાયેલી સરકારી વિમાન કંપની એર ઈન્ડિયા આવનારા વર્ષે જૂન સુધીમાં બંધ થઈ શકે છે. અવ્યવસ્થિત રીતે કોઈ કંપનીને લાંબા સમય સુધી ચલાવી શકાય નહીં. એર ઈન્ડિયાના એક અધિકારીએ સોમવારે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો. આ વાતને લઈને કેન્દ્રીય નાગરીક ઉડ્ડયન મંત્રીએ નિવેદન આપ્યું છે કે અમારી પાસે કોઈ વિકલ્પ નથી. હવે આવનારા સમયમાં જ એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરાશે.
એર ઈન્ડિયાનું ખાનગીકરણ કરાશે
અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથીઃ હરદીપસિંહ પુરી
`આવનારા કેટલાક સપ્તાહમાં સ્થિતિ સ્પષ્ટ થઈ જશે'
વિમાનના ભવિષ્યને લઈને અનિશ્ચિતતાઓ જોવા મળી રહી છે ત્યારે અધિકારીએ કહ્યું કે 12 નૈરો બોડી વિમાનોને ફરીથી શરૂ કરવા માટે રૂપિયાની જરૂર છે. વિમાન કંપની પર આ સમયે 60 હજાર કરોડ રૂપિયાનું દેવું છે. અને સરકાર પણ તેને વેચવાની પ્રક્રિયા પર કામ કરી રહી છે.
સરકારે રોકી હતી આટલી રકમ
સરકારના જણાવ્યા અનુસાર નાણાંકીય વર્ષ 2011-12માં ડિસેમ્બર સુધી સરકાર એર ઈન્ડિયામાં 30, 520.21 કરોડ રૂપિયા લગાવી ચૂકી છે. 2012માં યૂપીએમાં સરકારની કંપનીને માટે ટર્ન અરાઉન્ડ યોજનાના આધારે તેને 30 હજાર કરોડ રૂપિયાની નાણાંકીય સહાય પણ મળી હતી.
2007માં વિલિનીકરણ પછી આવ્યા ખરાબ દિવસો
2007માં હાલ સુધી કેન્દ્ર સરકારે એર ઈન્ડિયામાં એરલાઈન્સનું વિલિનીકરણ કર્યું. બંને કંપનીઓના વિલિનીકરણ પછી સંયુક્ત નુકસાન 770 કરોડ રૂપિયા હતું. જે વિલય બાદ 7200 કરોડ રૂપિયા થયું હતું. સરકારે એસબીઆઈને રિકવરી માટે અધિકૃત કર્યું હતું. એર ઈન્ડિયાએ નુકસાનની ભરપાઈ કરવા માટે પોતાના ત્રણ એરબેસ 300 અને 1 બોઈંગ 747-300 ને 2009માં બેચ કર્યો હતો. આ સમય બાદ માર્ચમાં 2011માં કંપનીનું દેવું વધીને 42600 કરોડ રૂપિયા અને નુકસાન 22000 કરોડ રૂપિયા થયું હતું.
હાલમાં 60 હજાર કરોડથી વધારેનું દેવું
લગભગ 60 હજાર કરોડના દેવામાં એર ઈન્ડિયાના નાણાંકીય વર્ષ 2018-19માં 8400 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. એર ઈન્ડિયાને વધારે ઓપરેટિંગ કોસ્ટ અને વિદેશી મુદ્રામાં નુકસાનને કારણે પણ દેવામાં ઉતરવું પડ્યું હતું. હાલમાં કંપનીઓના ઈંધણ સપ્લાયને રોકવા માટે પણ ધમકી આપી હતી. સરકારે તેને ફરી શરૂ કર્યું. એર ઈન્ડિયામાં તેની 100 ટકાની ભાગીદારી વેચવા જઈ રહી છે.
પહેલાંથી હતું આટલું નુકસાન
ત્રણ વર્ષના સમયમાં એર ઈન્ડિયાનું નુકસાન ટોચ પર રહ્યું છે.કંપનીની નેટવર્થ માઈનસમાં 24,893 કરોડ રૂપિયા રહી હતી. નુકસાન 53 914 કરોડ રૂપિયાનું રહ્યું.