જો ભાજપ લોકસભા ચૂંટણીમાં 250 સીટો જીતીને આવી હોત તો સ્થિતિ અલગ હોત, અમે ભાજપને આંધ્ર પ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની શરત પર અમારા સાંસદોનું સમર્થન આપી દેતા.
આંધ્રપ્રદેશમાં પ્રચંડ બહુમત સાથે સરકાર બનાવવા જઈ રહેલા YSRCના ચીફ જગનમોહન રેડ્ડીએ દિલ્હી જઈને નરેન્દ્ર મોદી સાથે ખાસ મુલાકાત કરી છે. તેમની પાર્ટીને બહુમત મળ્યા બાદ આ તેમની પહેલી મુલાકાત છે.
જગનએ પીએમ મોદી સાથે મળીને આંધ્ર પ્રદેશને વિશેષ દરજ્જો આપરવાની માંગ કરી છે. આંધ્ર પ્રદેશમાં સત્તાધારી ટીડીપીને કરારી હાર આપીને વાઇએસઆર કોંગ્રેસ પાર્ટીએ 151 વિધાનસભા સીટો પ્રાપ્ત કરી છે. જ્યારે લોકસભામાં એમની પાર્ટી 23 સીટો જીતીને આવી છે.
જગનમોહને કહ્યું, 'જો ભાજપ 250 સીટો સુધી રહેત તો અમારે કેન્દ્ર સરકાર પર ખૂબ વધારે નિર્ભર ના રહેવું પડે. પરંતુ હવે એમને મારી જરૂર નથી. અમે જે કરી શકતા હતા એ કર્યું.' સૂત્રોનું કહેવું છે કે પીએમએ જગનની વાત સાંભળીને એમના નિવેદન પર ગંભીરતાથી વિચાર કરવાની વાત કહી છે.
Delhi: YSRCP chief Jaganmohan Reddy met Prime Minister Narendra Modi today. V Vijaya Sai Reddy and other leaders of YSRCP were also present. pic.twitter.com/227596XZEx
આગામી 30મી મેના રોજ જગનમોહન સીએમ પદના શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે જગનમોહને નરેન્દ્ર મોદીને શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેવા માટે પણ આમંત્રણ આપ્યું. આ મુલાકાત દરમિયાન નરેન્દ્ર મોદીએ જગનમોહન રેડ્ડીને ગળે લગાવીને સ્વાગત કર્યું. તો જગનમોહન રેડ્ડીએ નરેન્દ્ર મોદીને શોલ અને તિરૂપતિ બાલાજીની તસવીર પણ ભેંટમાં આપી.
YSRCP chief Jagan Mohan Reddy: If the BJP would've been limited to 250 seats, we wouldn't have had to depend so much on the central govt. But now, they don't need us. We did what we could do and told him (PM) of our situation. https://t.co/G594XFFMFZ
ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ 2015 અને વર્ષ 2017માં પણ જગનમોહન રેડ્ડીએ નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. જગનમોહન રેડ્ડીની પાર્ટીને વિધાનસભા ચૂંટણીમાં 175માંથી 151 સીટ મળી છે. જ્યારે આંધ્રપ્રદેશના સીએમ ચંદ્રાબાબુ નાયડૂની પાર્ટીની ભૂંડી હાર થઈ છે.