ભાજપના મહારાષ્ટ્ર એકમે કોર્પોરેશનમાં ઓબીસી માટે અનામત લાગૂ કરવાની માંગને લઈને રાજ્યવ્યાપી ચક્કા જામ કર્યા.
ભાજપ ઓબીસીની અનામતને લઈને આક્રમક
આ મુદ્દો રાજ્ય સ્તર પર હલ કરી શકાય છે- દેવેન્દ્ર
મહારાષ્ટ્ર સરકાર ઓબીસીને અનામત આપે અથવા ફરી સત્તા મને સોંપી દે- ફડણવિસ
ભાજપ ઓબીસીની અનામતને લઈને આક્રમક
મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી આ દિવસે અન્ય પછાત વર્ગ(ઓબીસી)ના અધિકારોને લઈને ઘણી આક્રમક નજરે પડી રહી છે. રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીમાં ઓબીસી અનામતનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. શનિવારે ભાજપના મહારાષ્ટ્ર એકમે કોર્પોરેશનમાં ઓબીસી માટે અનામત લાગૂ કરવાની માંગને લઈને રાજ્યવ્યાપી ચક્કા જામ કર્યા. ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે જો તેમન પાર્ટી સત્તામાં આવે છે તો સ્થાનીક ચૂંટણીમાં ઓબીસી અનામત લાગૂ કરશે અને જો તે એવું ન કરી શક્યા તો તે રાજનીતિથી સંન્યાસ લઈ લેશે.
આ મુદ્દો રાજ્ય સ્તર પર હલ કરી શકાય છે- દેવેન્દ્ર
ઓબીસી અનામત લાગૂ કરવા માટે રાજ્યવ્યાપી ચક્કા જામ દરમિયાન નાગપુરમાં વેરાઈટી સ્ક્વેર ચોક પર ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કરતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે રાજ્યની મહા વિકાસ અઘાડી સરકાર લોકોને એમ કહીને ફોસલાવી રહી હતી કે તેઓ મુદ્દાને સાંસદમાં ઉઠાવશે. તેમણે કહ્યું કે સત્ય એ છે કે આ મુદ્દો રાજ્ય સ્તર પર હલ કરી શકાય છે. રાજ્ય સરકાર કાયદો બનાવીને કોર્પોરેશનમાં અનામત લાગૂ કરી શકે છે.
મહારાષ્ટ્ર સરકાર ઓબીસીને અનામત આપે અથવા ફરી સત્તા મને સોંપી દે- ફડણવીસ
વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવિસે કહ્યું કે આ મહાવિકાસ અઘાડી સરકાર ઓબીસીના રાજકીય અનામત અમલમાં લાવે અથવા ફરી સત્તા મને સોંપી દે. જો અમે 4 મહિનામાં ઓબીસીને ફરી રાજકીય આરક્ષણ ન આપી શકીએ તો રાજનીતિ છોડી દઈશું.
શું છે મામલો
વર્ષ 2019માં ભાજપ- શિવસેના સરકારે સ્થાનિક કોર્પોરેશનમાં ઓબીસીને રાજનીતિક આરક્ષણ આપ્યું હતુ. પરંતુ સુપ્રીમ કોર્ટે આ મુદ્દાને રદ્દ કરી નાંખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે મહારાષ્ટ્રમાં સંબંધિત સ્થાનિક કોર્પોરેશન ચૂંટણામાં ઓબીસી માટે અનામત, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તથા ઓબીસી માટે અનામતની કુલ સીટોના 50 ટકાથી વધારે ન હોઈ શકે. આ સંબંધમાં સુપ્રીમ કોર્ટે ઉદ્ધવ ઠાકરે સરકારની અરજી ફગાવી દીધી હતી. પૂર્વ સીએમે કહ્યું કે ઠાકરેની નિષ્ક્રિયતાને કારણે ઓબીસીની રાજકીય અનામત રદ્દ થઈ ગઈ. તેઓ આને ફરી અમલામાં લાવે નહીંતર ફરી સત્તા મને સોંપી દે. 4 મહિનામાં ઓબીસીને ફરી રાજકીય આરક્ષણ ન આપી શકીએ તો રાજનીતિ છોડી દઈશું.