અમદાવાદમાં કોરોના દર્દીઓ માટે ટેલી મેડિસિન હેલ્પલાઇન શરુ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન AMC દ્વારા શરૂ કરાઇ છે.જેનો નંબર 14499 છે
હેલ્પ લાઈન અંતર્ગત હોમ આઇસોલેશનના દર્દીઓને 24 કલાક સારવાર મળશે.અને દરેક શિફ્ટમાં 3 તબીબ, 1 મનોચિકિત્સક તબીબ હાજર રહેશે. આ હેલ્પ લાઈન સેવાને અત્યાર સુધીમાં 200થી વધુ કોલ આવ્યા છે. 50 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓ હેલ્પલાઇન પર કોલ કરી રહ્યાં છે.
ગુજરાતમાં 6275 નવા કેસ
ગુજરાતમાં આજે ફરી કોરોનાએ ચિંતા વધારી છે. ગુજરાતમાં આજે 6275 નવા કોરોનાના કેસ નોંધાયા છે. જ્યારે 1263 દર્દી સાજા થયા છે. 27913 એક્ટિવ કેસ છે. આજે એકપણ દર્દીનું મોત નથી થયું. અત્યાર સુધીમાં 824153 દર્દી સાજા થઇ ચૂક્યા છે. તો કુલ 10128 દર્દીના મોત થઇ ચૂક્યા છે. આજે ઓમિક્રોનનો એકપણ કેસ નહીં, તો 19 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
ગઇકાલે નોંધાયેલા કેસની વિગત (8 જાન્યુઆરી 2022)
રાજ્યમાં ગઇકાલે 24 કલાકમાં નવા 5677 કોરોનાના કેસ નોંધાયા હતા. જ્યારે 1359 દર્દી સાજા થયા હતા, તો કાલે રાજ્યમાં કોરોનાથી એકપણ મોત થયું ન હતું. રાજ્યમાં 22901 એક્ટિવ કેસ થયા હતા. 96.14 ટકા રિકવરી રેટ છે. તો રાજ્યમાં ઓમિક્રોનનો કેસ નોંધાયો ન હતો. જ્યારે 7 ઓમિક્રોનના દર્દી સાજા થયા હતા.