ગાંધીનગર ખાતે આવતીકાલથી જી 20 સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. જેથી બપોર બાદ બ્રિજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
ગાંધીનગરમાં G-20ને લઇ આવતીકાલથી બેઠક
27 માર્ચે જળ સંપત્તિને લઈને યોજાશે બેઠક
નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની લેશે મુલાકાત
આવતીકાલે 2 વાગ્યા બાદ અટલ બ્રિજ જાહેર જનતા માટે બંધ રહેશે
ગાંધીનગર ખાતે આવતીકાલથી જી 20 સમિટનો પ્રારંભ થઈ રહ્યો છે. ત્યારે પ્રથમ દિવસે આ સમિટમાં જળ સંપત્તિને લઈને બેઠક યોજાવાની છે. જેથી ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની મુલાકાત લેશે. જેને લઈને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા ટ્વિટ કરીને જણાવવામાં આવ્યું છે કે આવતીકાલથી તા.27 માર્ચના રોજ અટલ બ્રિજની ટિકિટ બપોરે 2:00 વાગ્યા સુધી મળશે. ત્યાર બાદ બપોરે 3:00થી રાત્રિના 9:00 વાગ્યા સુધી અટલ બ્રીજ જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે.
— Sabarmati Riverfront Development Corporation Ltd. (@SRFDCL) March 26, 2023
ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરફ્રન્ટની લેશે મુલાકાત
ગાંધીનગર ખાતે જી 20 સમિટ અંતર્ગત બેઠક યોજાવા જઈ રહી છે. જેમાં આંતરરાષ્ટ્રીય બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 27 માર્ચે જળ સંપત્તિને લઈ બેઠક યોજાશે. જેમાં ડેલીગેશન નર્મદા અને સાબરમતી રિવરરફ્રન્ટની મુલાકાત લેશે. તેમજ એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જની બેઠક પણ આવતીકાલે યોજાશે.