અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટના તમામ પાર્કને સાંજ સુધી બંધ રાખવાનો નિર્ણય
અમદાવાદમાં ધુળેટીને લઈને AMC નો મહત્વનો નિર્ણય
રિવરફ્રન્ટ પ્રોજેક્ટ બંધ રાખવામાં આવશે
રિવરફ્રન્ટના તમામ પાર્કને સાંજ સુધી બંધ રખાશે
અટલ બ્રિજ, ફલાવર પાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક પણ બંધ રખાશે
સાંજે 5 વાગ્યા બાદ રિવરફ્રન્ટ પાર્ક ખુલ્લો મૂકવામાં આવશે
અમદાવાદમાં ધુળેટીને લઇને AMC તંત્રએ એક મોટો નિર્ણય કર્યો છે. વાત જાણે એમ છે કે, આવતીકાલે એટલે કે 08-03-2023ના રોજ ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટના તમામ પાર્કને સાંજ સુધી બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ મ્યુનિશિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. જોકે નોંધનિય છે કે, આ પાર્ક સાંજે 05:00 વાગ્યા બાદ તમામ બાગ-બગીચા જાહેર જનતા માટે ખુલ્લા મૂકવામાં આવશે.
અમદાવાદીઓ આવતીકાલે એટલે કે ધૂળેટીના દિવસે એક બીજાને રંગવા તૈયાર છે. તેવામાં હવે અમદાવાદી શહેરના રિવરફ્રન્ટના તમામ પાર્કને લઈ એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વિગતો મુજબ અમદાવાદના રિવરફ્રન્ટના તમામ પાર્ક આવતીકાલે એટલે કે ધૂળેટીના દિવસે બંધ રહેશે. જેમાં અટલબ્રિજ, ફ્લાવરપાર્ક, બાયો ડાયવર્સિટી પાર્ક બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
ક્યારે ખુલશે પાર્ક ?
અમદાવાદમઅ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેકટ હેઠળ આવેલ બાગ-બગીચા રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક, સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પાર્ક, ઉસ્માનપૂરા રિવરફ્રન્ટ પાર્ક, રિવરફ્રન્ટ ચિલ્ડ્રન પાર્ક, રિવરફ્રન્ટ બાયો-ડાયવર્સિટી પાર્ક, રિવરફ્રન્ટ બી.જે.પાર્ક આવતીકાલે ધૂળેટીએ આખો દિવસ બંધ રહ્યા બાદ સાંજે સાંજે 5 વાગ્યા બાદ તમામ પાર્ક ખુલ્લા મૂકવામાં આવશે.