બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / સાપ ડંખ મારે તો તાત્કાલિક કરજો આ કામ, જીવ બચવાના વધી જશે ચાન્સ
Last Updated: 07:38 PM, 25 July 2024
ચોમાસાની સીઝનમા ઝેરીલા સાપ અને બીજા જીવજંતુ નજરે પડવાની ઘટના વધી જાય છે. વરસાદના કારણે દર પુરાઈ જવાથી સાપ બહાર માનવ વસ્તીમાં પણ પહોંચી જાય છે. આ ઋતુમાં સાપ કરડવાની ઘટના પણ વધી જતી હોય છે. જો સાપ કરડે તો ખૂબ જ સાવચેતી રાખવી પડે છે. આ વખતે થોડી પણ બેદરકારી રાખવામાં આવે તો વ્યક્તિનો જીવ પણ જઈ શકે છે. સાપ કરડવા પર તરત દવાખાને જવુ જોઈએ. પરંતુ આ સમય દરમિયાન અમુક ઉપાય કરવામાં આવે તો પીડિતના બચવાના ચાન્સ વધી જાય છે.
ADVERTISEMENT
વધુ વાંચો : જો તમને પણ વધારે પ્રમાણમાં ચા ઉકાળવાની છે આદત? તો ચેતી જજો નહીંતર...!
જ્યારે ઝેરીલો સાપ કરડે ત્યારે તેના લક્ષણો વિશે જાણકારી હોવી જરૂરી છે. જ્યારે ઝેરીલો સાપ કરડે ત્યારે ડંખ માર્યાની જગ્યા પર દુઃખાવાની સાથે સોજો આવી જાય છે. શરીર અકડાઈ જાય છે. ઉલ્ટી આવે છે. આ સાથે ત્વચા બદલાઈ જાય છે. બ્લડ પ્રેશર લો થઈ જાય છે. પરસેવા વળવાની સાથે બેહોશી આવવા લાગે છે. જો લક્ષણ દેખાય તો તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ.
ADVERTISEMENT
સાપ ડંખ મારે ત્યારે ઝેર આખા શરીરમાં ફેલાઈ ના જાય તે માટે તરત અમુક ઉપાય કરી શકાય છે. જેને સાપ કરડ્યો હોય તેને વધારે ઘી પીવડાવવું જોઇએ, જેથી તેને ઉલટી થઈ જાય. ઉલટી કરાવવા માટે નોર્મલ ગરમ પાણી 10-15 વખત પીવડાવવું જોઈએ. જો કંકોડાની શાકભાજી ઉપલબ્ધ હોય તો તેને વાટીને ડંખવાળી જગ્યાએ લગાવવું જોઈએ. તેનાથી ઝેરની અસર ઘટે છે અને ઇન્ફેક્શન પણ નથી થતું. આ સિવાય ઝેરની અસર ઓછી કરવા ડંખ મારેલી જગ્યાએ લસણની પેસ્ટ લગાવી શકાય છે.
અમુક વખત લોકો સાપ કરડવા પર ઊંટવૈદું કરીને કામ ચલાવવા જાય છે, પરંતુ આમ કરવાથી અનેક લોકોના જીવ ગયા છે. આથી જ્યારે પર સાપ કરડે ત્યારે તરત જ હોસ્પિટલે વ્યક્તિને લઇ જવો જોઈએ. દર્દીને આ દરમિયાન શાંત રાખવાનો પ્રયાસ કરવો. હોસ્પિટલમાં દર્દીને એન્ટીવેનમનું ઇન્જેક્શન આપવાથી ઝેરની અસર ખતમ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.