સરકારે કર્મચારીઓ માટે નવો નિયમ બહાર પાડ્યું, જો કોઈ સરકારી કર્મચારી તેની નોકરી દરમિયાન ગંભીર ગેરરીતિ આચરે તો તેનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકી લેવાશે
સરકારે CCS પેન્શન અંતર્ગત નવો નિયમ બહાર પાડ્યો
ગેરરીતિ આચરી તો બંધ થશે પેન્શન અને ગ્રેચ્યુઈટી
ગેરરીતિની નોકરી બાદ પણ થશે તપાસ
સરકાર કર્મચારીઓના વિવિધ ભથ્થામાં વધારા કર્યો છે સાથો સાથે કેટાલાક નોટીફિકેશન પણ બહાર પાડ્યા છે. જો કોઈ સરકારી કર્મચારી તેની સેવા દરમિયાન કોઈ ગંભીર ગેરરીતિમાં સંડોવાયેલો જણાય છે, તેણે ફરજ દરમિયાન ગેરરીતિ આચરી હોય તો તેનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકી શકાય છે. CCS પેન્શન નિયમ 2021ના નિયમ 8માં સરકાર દ્વારા એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું છે.
દિવાળીના તહેવાર પર સરકારે કર્મચારીઓ માટે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે. તહેવારની શરૂઆત પહેલા જ સરકારે મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી બાબતે રાહતની જાહેરાત કરી હતી. આ પછી કેન્દ્ર સરકારે રેલ્વે કર્મચારીઓ માટે પરફોર્મન્સ લિંક્ડ પ્રોત્સાહનોની જાહેરાત કરી હતી. આ તમામ નિર્ણયોથી કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓને ફાયદો થયો છે. પગાર અને ગ્રેચ્યુઇટીમાં વધારા સાથે નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કેન્દ્રીય કર્મચારીઓ માટે વધારાનો નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે અને ધીમે ધીમે રાજ્ય સરકારો પણ તેનો અમલ કરી રહી છે.
CCS રુલ્સ 2021ના 8મો નિયમ જાણો
કેન્દ્ર સરકાર તરફથી પેન્શન અને ગ્રેચ્યુઈટીનો લાભ મળી રહ્યો છે, પરંતુ આનો એક નિયમ ધ્યાનમાં રાખવો જેવો છે. જો આ નિયમને તમે નથી જાણતા તમને ક્યારેક ભારે પડી શકે છે. આ નિયમ સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ (પેન્શન) નિયમ, 2021નો છે. આ નિયમમાં જણાવ્યું છે કે કોઈપણ સરકારી કર્મચારી કે જે તેની સેવા દરમિયાન કોઈપણ ગંભીર ગેરરીતિમાં સંડોવાયેલો જણાય અથવા ફરજ દરમિયાન ગેરરીતિ આચરે છે તો તેની ગ્રેચ્યુટી અને પેન્શન રોકી શકાય છે. CCSના રુલ્સ 2021ના 8માં નિયમ પ્રમાણે એક નોટિફેકેશન બહાર પાડી છે.
આ અધિકારી કરશે તપાસ
આ નોટિફિકેશનમાં જણાવ્યું છે કે, જો કર્મચારીની ગેરરીતિ પકડાઈ જાય તો પેન્શન અને ગ્રેચ્યુઈટીનો લાભ રોકી શકાય કે બંધ કરી શકાય છે અને કેટલાક અધિકારીઓને તેનો નિર્ણય લેવાનો અધિકાર પણ આપવામાં આવ્યો છે. આ અધિકારીઓમાં રાષ્ટ્રપતિ, વહીવટી વિભાગના સચિવ, ભારતના ઓડિટર જનરલનો સમાવેશ થાય છે. એટલે કે આ ત્રણ અધિકારીઓ સરકારી કર્મચારીનું પેન્શન અને ગ્રેચ્યુઈટી રોકી શકે છે.
ગેરરીતિની થશે તપાસ
7મી ઑક્ટોબરના રોજ પ્રકાશિત થયેલા નિયમ 8 મુજબ અધિકારીઓ પાસે પેન્શન રોકવા માટે આંશિક રૂપથી રદ કરવાનો અધિકાર છે. જેમાં રિટાર્ડ વ્યક્તિ કોઈ પણ વિભાગમાં નોકરીના સમય દરમિયાન ગંભીર મિસકંડક્ટ કે ગેરરીતિ આચરી તો તે દોષિત સાબિત થાય છે તો તેની વર્તમાન ચાલુ નોકરીની પણ તપાસ કરવામાં આવશે.