આતંકીઓએ ફરી એકવાર જમ્મૂ-કશ્મીરમાં હુમલાની નાપાક કોશિશ કરી છે. આર્મીએ રાજૌરીમાંથી IED મળી આવ્યો છે. બોમ્બ સ્ક્વોડની ટીમે ઘટના સ્થળે પહોંચી અને IEDને ડિફ્યૂઝ કર્યો હતો. ત્યારે આ દરમિયાન જમ્મૂ, રાજૌરી, પૂંછ હાઇવે પર 3 કલાક સુધી ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.
જમ્મુ-કાશ્મીરમાં હુમલાની નાપાક કોશિશ
રાજૌરી વિસ્તારમાંથી મળી આવ્યો IED
બોમ્બ સ્ક્વોડે IED કર્યો ડિફ્યૂઝ
નોંધનીય છે કે, IED મળતા હાલ હાઇવે પર સુરક્ષા વ્યવસ્થ સઘન કરી દેવાઇ છે. અને મુખ્ય સ્થાનો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. વિવિધ જગ્યાઓ પર હાલ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આતંકીઓએ રાજૌરી હાઇવે સ્થિત શહરેના કલ્લર વિસ્તારમાં રસ્તા પાસે IED પ્લાન્ટ કર્યો હતો. જો કે આર્મીને જાણ થતા જ તેઓએ IEDને ડીફ્યૂઝ કરી દીધો અને બાદમાં તેને નષ્ટ કરી દેવાયો.
17 નવેમ્બરે જ એક ભારતીય સૈનિક થયો શહિદ
આપને જણાવી દઇએ કે, 17 નવેમ્બરના રોજ, એલઓસી પર પાલાવાલા સેક્ટરમાં ઝીરો લાઇન પર ફેન્સીંગ નજીક પાકિસ્તાનનો આઈઈડી પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. તેના પગલે ભારતીય સૈન્યના વાહનમાં સવાર સૈનિક માર્યો ગયો. જ્યારે અન્ય બે સૈનિકો ગંભીર રીતે ઘાયલ થયા છે. વિસ્ફોટમાં આર્મીનું વાહન ખરાબ રીતે નુકસાન થયું હતું.
ત્રાલમાં એક ટ્રકને નિશાન બનાવી આંગ ચાંપી
ત્રાલના અમીરાબાદ ગામમાં શનિવારે રાત્રે આતંકવાદીઓએ એક ટ્રકને આગ ચાંપી દીધી હતી. આ કેસ અંગેની માહિતી મળતાની સાથે જ પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે, હજુ સુધી આતંકીઓનો કોઈ ચાવી નથી મળી.
આ પહેલા 14 નવેમ્બરના રોજ, સામાન્ય લોકોમાં ભય ફેલાવવા માટે કપડાની દુકાનદારને ત્રાલ બસ સ્ટેન્ડ પર આતંકીઓએ ગોળીથી ઠાર માર્યો હતો. મેહરાજુદ્દીન દુકાન નજીક ઉભો હતો ત્યારે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ આ ઘટના બની હતી.