જમ્મૂ-કશ્મીરમાં વધુ એક હુમલાને સુરક્ષાબળના જવાનોએ નિષ્ફળ બનાવ્યો છે. આર્મીને એક આઈઈડી બોમ્બ મળી આવ્યો હતો. આ આઈઈડી બોમ્બ મળી આવતા આર્મી સતર્ક બની હતી અને બાદમાં આર્મીના જવાનોએ આ આઈઈડી બોમ્બને ડિફ્યૂઝ કર્યો હતો.
આઈઈડી બોમ્બ મળી આવતા બોમ્બ સ્ક્વોડ પર ઘટના સ્થળે પહોંચ્યું હતુ. બાદમાં આ બોમ્બને પૂંછ હાઈવે પર રાજૌરીના કાલ્લાર ગામે નિષ્ક્રીય કરવામાં આવ્યો હતો. તો આર્મીએ આ બોમ્બ ડિફ્યૂઝ કર્યો અને બ્લાસ્ટ કર્યૉ ત્યારે રસ્તા પરનો બંને બાજુનો વાહન વ્યવહાર અટકાવ્યો હતો.
આર્મીના જવાનોએ બંને બાજુના વાહનોને રોક્યા હતા અને બાદમાં આ બોમ્બને નિષ્ક્રીય બનાવ્યો હતો. ત્યારે આર્મી દ્વારા નિષ્ક્રીય કરવામાં આવેલા આ બોમ્બનો વીડિયો પણ સામે આવ્યો છે. આ એ જ પ્રકારનો આઈઈડી બોમ્બ છે કે જેનો ઉપયોગ પુલાવામા હુમલામાં કરવામાં આવ્યો હતો. ત્યારે આર્મીની સતર્કતાથી આ મોટી દુર્ઘટના ટળી છે.
પણ સવાલ એ ઊભા થાય છે કે આ બોમ્બ આખરે પ્લાન કર્યો કોણે. શું ફરી પુલાવામા હુમલા જેવો હુમલો કરવાનું પ્લાનિંગ હતું. પણ ખેર હાલ તો આર્મીએ આ બોમ્બને નિષ્ક્રીય બનાવતા મોટી દર્ઘટના ટળી છે.