જમ્મૂ-કાશ્મીરના અનંતનાગ હાઇવેની નજીક IEDની સૂચના મળ્યાં બાદ અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સુરક્ષા બળને મીર માર્કેટમાં IED હોવાની આશંકા છે, જેને લઇને આ વિસ્તારમાં સેના દ્વારા સર્ચ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ વખતે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુ અમરનાથ પહોંચી રહ્યાં છે. અમરનાયાત્રા માટે સોમવારે જમ્મૂથી 3,178 શ્રધ્ધાળુઓનો એક વધુ જથ્થો રવાના થયો. આ વર્ષે 1લી જૂલાઇથી યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 2.7 લાખથી વધુ શ્રધ્ધાળુઓ સમુદ્ર સ્તરથી 3,888 મીટર ઉપર સ્થિત આવેલ અમરનાથ બાબાના દર્શન કરી ચૂક્યાં છે.
આમ અનંતનાગ હાઇવે પાસે સેનાને IEDની સૂચના મળવાની સાથે અમરનાથ યાત્રા રોકી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી જાણકારી મુજબ સુરક્ષા બળને મીર માર્કેટમાં IED હોવાની શક્યતા છે. જો કે મળતા અહેવાલ મુજબ સેના દ્વારા સર્ચ ઓપરેશન અભિયાન શરૂ કર્યું છે.