મૂર્તિઓને નોટોથી સજાવવાની માહિતી આવતી રહે છે પરંતુ અમે તમને જણાવવા જઇ રહ્યા છીએ એક એવી મૂર્તિ માટે જેને એક -બે લાખ નહીં પરંતુ 5 કરોડની નોટોથી સજાવવામાં આવી છે. આટલું જ નહીં, મૂર્તિને સજાવવામાં હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. કોયમ્બતૂરના શ્રી મુથુમરિયમ્મન મંદિરની મૂર્તિને 5 કરોડ રૂપિયામાં સજાવવામાં આવી છે.
દક્ષિણ ભારતમાં એક એવી મૂર્તિ છે જને 1-2 નહીં પરંતુ 5 કરોડની નોટોથી સજાવવામાં આવી છે. આટલું જ નહીં મૂર્તિને સજાવવા માટે હીરાનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે. તમિલ નવવર્ષના તકે દક્ષિણ ભારતમાં આવો નજારો જોવા મળે છે.
દક્ષિણ ભારતના મંદિરમાં પોતાની સંપન્નતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે. તમિલનાડુના કોયમ્બતૂરના મંદિરમાં કરવામાં આવેલી 5 કરોડ રૂપિયાની સજાવટ ચર્ચાનો વિષય બનેલી છે. કોયમ્બતૂરના શ્રી મુથુમરિયમ્મન મંદિરની મૂર્તિને 5 કરોડ રૂપિયાથી સજાવવામાં આવી છે. અહીંયા મૂર્તિને સજાવવામાં કરન્સી નોટ અને હીરાનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
આ મૂર્તિની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહી છે. આ મૂર્તિની આસપાસની દીવાલોને પાંચસો અને બે હજાર રૂપિયા ઉપરાંત બીજી કરન્સીની નોટોથી પણ સજાવવામાં આવી છે. ભગવાનના કપડાં, માળા વગેરેને પણ કરન્સી નોટોથી સજાવવામાં આવી છે. મૂર્તિમાં હીરા પણ જડવામાં આવ્યા છે.
જણાવી દઇએ કે દર વર્ષે 14 એપ્રિલે તમિલ નવ વર્ષ ઊજવવામાં આવે છે. એને પુથાંડબ તહેવારના રૂપમાં ધામધૂમથી ઊજવવામાં આવે છે. તમિલ લોકો આ તહેવારે એકબીજાને ગિફ્ટ આપે છે અને મંદિરોમાં ભગવાનના દર્શન કરે છે. આ પ્રસંગે ઘણા મંદિરોને સારી રીતે સજાવવામાં આવે છે. પરંતુ આ મૂર્તિને જે રીતે સજાવવામાં આવી એ ખરેખર આશ્વર્યચકિત કરે છે.