કેટલાક દિવસોથી સરકારી અને બિન-સરકારી બેંકો સતત FDના વ્યાજદરમાં વધારો કરી રહી છે. હવે IDFC ફર્સ્ટ બેંકે બચત ખાતા પર વ્યાજ દર વધારીને 6 ટકા કરી દીધા છે. આવો જાણીએ વિગતો.
FD રેટમાં આ બેન્કે કર્યો વધારો
1 એપ્રિલથી ગ્રાહકોને મળશે 6 ટકા વ્યાજ
જાણો તેના વિશે બધુ જ
છેલ્લા કેટલાક સમયથી બેંકોના FD રેટ સતત વધી રહ્યા છે. જો કે બેંકોના બચત ખાતા પર વ્યાજ દરો લાંબા સમયથી નીચા ચાલી રહ્યા છે. પરંતુ આ દરમિયાન, IDFC ફર્સ્ટ બેંકે તેના ગ્રાહકોને એક મોટી ભેટ આપતા બચત ખાતા પરના વ્યાજ દરોમાં વધારો કર્યો છે. IDFC ફર્સ્ટ બેંકે જાહેરાત કરી છે કે 1 એપ્રિલથી બેંક તેના ગ્રાહકોને 6 ટકાના દરે વ્યાજ ચૂકવશે. જોકે, બેંકે અલગ-અલગ રકમના આધારે વ્યાજ દરો નક્કી કર્યા છે.
મહત્વનું છે કે પહેલા આ બેંકના બચત ખાતા પર વ્યાજ દર 5 ટકા હતો જે હવે વધારીને 6 ટકા કરવામાં આવ્યો છે. આવો જાણીએ કે બેન્કની તરફથી આ વ્યાજદર કેટલી રકમ રાખનાર ખાતાધારકોને મળશે.
ત્યા જ 10 લાખ રૂપિયાથી વધારે પરંતુ 25 લાખ રૂપિયાથી ઓછાની રકમ પર 5 ટકાના વ્યાજથી વધારે મળશે.
25 લાખ રૂપિયાથી વધારે પરંતુ 1 કરોડ રૂપિયાથી ઓછાની રકમ સેવિંગ એકાઉન્ટમાં મુકવા પર ગ્રાહકોને 6 ટકાના દરે વ્યાજ મળશે.
ફેરફાર બાદ 1 કરોડ રૂપિયાથી વધારે પરંતુ 100 કરોડ રૂપિયાથી ઓછી રકમ વાળા બચત ખાતા પર 5 ટકા વ્યાજ મળશે.
તેની સાથે જ તમને જણાવી દઈએ કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના નિર્દેશો અનુસાર સેવિંગ એકાઉન્ટને ખાતા પર દિવસના અંતમાં જે બેલેન્સ હશે. તેના પર વ્યાજને કેલક્યુલેટ કરવામાં આવશે અને મંથલી બેસિસ પર તેની પાસે ઓન કરવામાં આવશે. આરબીઆઈના નિયમ 1 જુલાઈ 2021થી લાગુ છે.
સાથે જ જાણી લો કે ઈન્ટરેસ્ટ રેટ પ્રોગ્રેસિવ બેલેન્સના આધાર પર નક્કી કરવામાં આવશે.