HDFC બેંક, ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંક બાદ IDBI બેંકે પોતાના ગ્રાહકો માટે સારા સમાચાર આપ્યા છે. બેંક દ્વારા ફિક્સ્ડ ડિપોઝિટના દરમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
વ્યાજદરને લઈને IDBI બેન્કનો મોટો નિર્ણય
જાણો શું કરવામાં આવ્યા ફેરફાર
જાણો તમને શું થશે લાભ
HDFC બેંક બાદ હવે વધુ એક ખાનગી બેંકે કરોડો ગ્રાહકોને ખુશખબર આપી છે. પહેલા આ બેંક સરકારી હતી પરંતુ હવે ખાનગી બેંક બની ગઈ છે. અમે IDBI બેંક વિશે વાત કરી રહ્યા છીએ.
ફેરફારો 20 એપ્રિલથી લાગુ થશે
IDBI બેંકે રૂ. 2 કરોડથી ઓછી ફિક્સ્ડ ડિપોઝીટ પરના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. જે બાદ હવે FD કરનાર ગ્રાહકોને પહેલા કરતા વધુ વ્યાજ મળશે. વ્યાજ દરોમાં ફેરફાર 20 એપ્રિલથી લાગુ થશે.
ન્યૂનતમ વ્યાજ દર 2.70 ટકા
ફેરફાર પછી IDBI બેંક દ્વારા 6 દિવસથી 10 વર્ષ સુધીની FD પર 2.70 ટકાથી 5.60 ટકા સુધીનું વ્યાજ આપવામાં આવે છે. અગાઉ ICICI બેંક અને કોટક મહિન્દ્રા બેંકે પણ FD જમા પર વ્યાજ વધાર્યું છે.
IDBI બેંકે રૂ. 2 કરોડની થાપણો પર 7 દિવસથી 30 દિવસ સુધીનો પ્રથમ વ્યાજ દર 2.7 ટકા જાળવી રાખ્યો છે. 31 દિવસથી 45 દિવસના સમયગાળા પર હવે 2.80 ટકાની સામે 3 ટકા વ્યાજ મળશે. એક રિપોર્ટ અનુસાર, IDBI બેંકનો ગ્રાહક આધાર લગભગ 3 કરોડ છે. તમને જણાવી દઈએ કે પહેલા આ બેંક અર્ધ સરકારી હતી, જે હવે સંપૂર્ણપણે ખાનગી બની ગઈ છે.