ભારતમાં ક્યારેક ઔદ્યોગિક વિકાસને સ્પીડ આપવાના હેતુથી બનાવવામાં આવેલી આઇડીબીઆઇ બેન્ક (IDBI Bank)માં સરકારે પોતાનો પૂર્ણ હિસ્સો વેચવાનું એલાન કરી એક પ્રકારે બેન્કિંગના ભવિષ્યને લઇને મહત્વપૂર્ણ સંકેત આપ્યા છે. ઇન્દિરા ગાંધીએ 50 વર્ષ પહેલા 1969માં 14 પ્રાઇવેટ બેન્કો રાષ્ટ્રીયકરણ કર્યું હતું. પરંતુ હવે સરકાર તેનાથી વિરુદ્ધ દિશામાં પગલુ ઉઠાવી શકે છે.
સરકાર મુડીના સંકટનો સામનો કરી રહેલી અન્ય બેન્કો વિશે પણ આમ નિર્ણય લઇ શકે
નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે લોન ઉપલબ્ધ કરાવાના હેતુથી IDBI બેન્કની સ્થાપના થઇ હતી
જાણકારો મુજબ જો સરકારને આઇડીબીઆઇ બેન્ક (IDBI Bank)ના ખાનગીકરણમાં સફળતા મળે છે તો ખોટમાં ચાલી રહેલી અથવા મુડીના સંકટનો સામનો કરી રહેલી અન્ય બેન્કો માટે પણ આમ નિર્ણય લેવામાં આવી શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવેલા બજેટમાં એલઆઇસીના 10 ટકા ભાગને શૅર બજારમાં વેંચવાના સમાચારોને ઘણું મહત્વ આપવામાં આવ્યું હતું. જોકે આઇડીબીઆઇ બેન્ક ઓછી ચર્ચામાં રહી હતી.
હાલ સરકારની આઇડીબીઆઇ બેન્કમાં 47 ટકા ભાગીદારી છે. જેને હવે પૂર્ણ રીતે વેચવામાં આવશે.
LICના 21,000 કરોડથી બની હતી IDBI બેન્ક :
ભારતમાં નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે જરૂરી લોન ઉપલબ્ધ કરાવવાના હેતુથી આઇડીબીઆઇ બેન્ક (IDBI Bank)ની સ્થાપના કરવામાં આવી હતી. જો આઇડીબીઆઇ બેન્કનું ખાનગીકરણ કરવામાં આવે છે તો નિશ્ચિત છે કે તેના લક્ષ્ય પર અસર પડશે.
આઇડીબીઆઇ બેન્ક એક સરકારી બેન્ક હતી, તેની રચના 1964માં થઇ હતી. એ દરમિયાન LICએ આઇડીબીઆઇ બેન્કમાં 21,000 કરોડ રૂપિયાનું રોકાણ કરીને 51 ટકા ભાગીદારી ખરીદી હતી.