આઈડીબીઆઈ બેંકે ટ્વિટમાં કહ્યું કે તેને જાણકારી મળી છે કે દગાખોરી કરનારી નોકરી આપનારી એજન્સીઓ બેંકના નામે આવેદન મંગાવી રહી છે.
IDBI Bankએ કરી ટ્વિટ
ગ્રાહકોને કર્યા એલર્ટ
નોકરીના નામે થઈ રહી છે દગાખોરી
આઈડીબીઆઈ બેંકે ટ્વિટ કરીને લોકોને સચેત કર્યા છે કે બેંકના નામે લોકોને નોકરીની લાલચ આપીને ફસાવવામાં આવી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પર બેંકના નામે ખોટી નોકરીને રજૂ કરીને લોકોને ઠગવામાં આવી રહ્યા છે. બેંકે સ્પષ્ટ રીતે કહ્યું છે કે તેણે કોઈ વેકેન્સી કે લોકોની પાસેથી પૈસા લેવાને લઈને કોઈ પણ એજન્સીની સેવા લીધી નથી. બેંકે આ માટે ટ્વિટ કરીને લોકોને એલર્ટ કર્યા છે.
બેંકે આ વાત પણ કરી છે સ્પષ્ટ
બેંકે ટ્વિટમાં એ વાતની પણ જાણકારી આપી છે કે જે લોકો દગાખોરી કરનારી એજન્સીમાંથી આઈડીબીઆઈ બેંકના નામે અરજી પત્ર જાહેર કરી રહી છે અને તેના નામે તમને ફોન કરે છે તો તમે સચેત રહો. આ કેસની તપાસ બાદ જ આગળ વધો.
બેંકે નથી લીધી કોઈ પણ એજન્સીની સેવા
IDBI Bankએ સ્પષ્ટ કર્યું છે કે આ પત્રમાં બેંકનું નામ, લોગો અને સરનામાનો ઉપયોગ થઈ રહ્યો છે. આઈડીબીઆઈ બેંકના આધારે તેણે પોતાની તરફથી વેકેન્સી કે પ્રશિક્ષણ માટે કોઈ રકમ/ કમિશન/ રૂપિયા લેવા માટે કોઈ પણ એજન્સી કે વ્યક્તિની મદદ લીધી નથી. આ દિવસોમાં અનેક આવા કેસ આવી રહ્યા છે જેમાં કોઈ બેંકમાં નોકરી આપવાના નામે લોકોને ફેક કોલ આવી રહ્યા છે.
વેબસાઈટ પર આપવામાં આવી છે જાણકારી
બેંકે કહ્યું કે લોકોને દગાખોરોથી સચેત રહેવાનું કહેવાયું છે. બેંકના અનુસાર વેકેન્સીની સુચના હંમેશા તેની વેબસાઈટ www.idbibank.in પર આપવામાં આવે છે. આઈડીબીઆઈ બેંક, એલઆઈસીના નિયંત્રણ વાળી બેંક છે. હાલમાં જ આઈડીબીઆઈના નિયંત્રણ દેશની સૌથી મોટી વીમા કંપની એલઆઈસીના હાથમાં સોંપવામાં આવ્યું છે. એવામાં તમારી પાસે આઈડીબીઆઇમાં નોકરી અપાવવાના નામે કોઈ ફોન કે મેલ આવે છે તો બેંકની વેબસાઈટ પર જઈને ચેક કરો અને જાણો કે ખરેખર નોકરીની કોઈ વેકેન્સી છે કે નહીં.