સીઆઈએસસીઈ બોર્ડે 10માંની પરિક્ષાઓ કેન્સલ કરી દીધી છે તો 12માંનો નિર્ણય જૂનમાં થવાનો છે.
સીઆઈએસસીઈ બોર્ડે 10માંની પરિક્ષાઓ કેન્સલ કરી દીધી
બોર્ડે ધોરણ 10માંના વિદ્યાર્થીઓ માટે પરિક્ષા વૈકલ્પિક રાખી
હાલ 12માંની પરિક્ષાઓ સ્થગિત, જૂનમાં થશે નિર્ણય
જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા માંગે છે તે...
કોરોનાને કારણે હવે સીઆઈએસસીઈ બોર્ડે 10માંની પરિક્ષાઓ કેન્સલ કરી દીધી છે. પહેલા બોર્ડ દ્વારા નોટિફિકેશનમાં ધોરણ 10માંના વિદ્યાર્થીઓ માટે પરિક્ષા વૈકલ્પિક રાખવામાં આવી છે. ધોરણ 10માના જે વિદ્યાર્થીઓ હાજર થવા નથી માંગતા બોર્ડ તેમના માટે વિશેષ મૂલ્યાંકન પદ્ધતિથી પરિણામ તૈયાર કરશે. ત્યારે જે વિદ્યાર્થીઓ પરિક્ષા આપવા માંગે છે તે ધોરણ 12માંના વિદ્યાર્થીઓની સાથે પરિક્ષામાં ભાગ લઈ શકે છે.
12માંની પરિક્ષાઓ સ્થગિત
CISCE બોર્ડ તરફથી પહેલા જ 12માં ધોરણની પરિક્ષાઓ સ્થગિત કરવાની જાહેરાત થઈ ચૂકી છે. બોર્ડ તરફથી કહેવામાં આવ્યું હતુ કે ધોરણ 12ની પરિક્ષા (ઓનલાઈન) પછીથી આયોજિત કરાશે. આ માટે જૂનમાં તારીખ જાહેર થઈ શકે છે. CISCE બોર્ડની ધો. 10માંની પરિક્ષાઓ 04મેથી શરુ થવાની હતી. જેનું છેલ્લુ પેપર 07 જૂને થવાનું હતુ. જ્યારે 12માંની પરિક્ષા 8 એપ્રિલથી ચાલુ હતી અને આ બાદ સમાપન 18 જૂને થવાનું હતુ. ઉલ્લેખનીય છે કે CISCEના બે બોર્ડ મળીને બનાવી રહ્યા છે. જે અંતર્ગત 10માં ધોરણની પરિક્ષા આઈસીએસઈ બોર્ડ અને 12માંની આઈએસસી બોર્ડ અંતર્ગત થાય છે.