સરકારે અલગ અલગ ક્ષેત્રની ચાર જાણીતી હસ્તીઓને રાજ્યસભાના નોમિનેટ સભ્ય જાહેર કર્યાં છે.
ચાર હસ્તીઓ રાજ્યસભામાં નોમિનેટ સાંસદ બન્યાં
ઈલૈયારાજા અને પીટી ઉષા, વીરેન્દ્ર હેગડે અને વિજયેન્દ્ર પ્રસાદ સામેલ
PM મોદીએ તમામને આપ્યા અભિનંદન
મશહૂર સંગીતકાર છે ઈલૈયારાજા
પીટી ઉષા મહિલા દોડવીર છે
સરકારે ચાર હસ્તીઓને રાજ્યસભાના નોમિનેટડ સભ્ય જાહેર કર્યાં છે જેમાં ખ્યાતનામ સંગીતકાર ઈલૈયારાજા, મહિલા દોડવીર પીટી ઉષા, પરોપકારી વીરેન્દ્ર હેગડે, સ્ક્રીનરાઈટર અને ડિરેક્ટર વી વિજયેન્દ્ર પ્રસાદ સામેલ છે.
Prime Minister Narendra Modi congratulates Veerendra Heggade on being nominated to the Rajya Sabha pic.twitter.com/d2UiD8oSBl
પ્રધાનમંત્રી મોદીએ ચાર હસ્તીઓને અભિનંદન પાઠવ્યાં
પ્રધાનમંત્રી મોદીએ રાજ્યસભામાં નોમિનેટ થનાર ચાર હસ્તીઓને અભિનંદન પાઠવ્યાં છે.
પીટી ઉષા શું બોલ્યાં પીએમ મોદી
પીએમ મોદીએ પીટી ઉષા વિશે માહિતી આપતા કહ્યું કે, પીટી ઉષા સ્પોર્ટ્સમાં પોતાની સિદ્ધિઓ માટે જાણીતી છે, પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી ઉભરતા એથ્લિટ્સને માર્ગદર્શન આપવાનું તેમનું કામ પણ એટલું જ પ્રશંસનીય છે. રાજ્યસભામાં તેમના નામાંકન બદલ અભિનંદન.
Prime Minister Narendra Modi congratulates former Olympic track & field athlete PT Usha on being nominated to the Rajya Sabha pic.twitter.com/TH3bDe5HxH
ઇલૈયારાજાએ પેઢી દર પેઢી લોકોને મંત્રમુગ્ધ કર્યા-મોદી
પ્રધાનમંત્રીએ ઇલૈયારાજાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, તેમણે પેઢી દર પેઢી લોકોને મંત્રમુગ્ધ કર્યા છે. તેમની કૃતિઓ ઘણી લાગણીઓને સુંદર રીતે પ્રતિબિંબિત કરે છે. ખુશી છે કે તેમને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવ્યા છે.
વીરેન્દ્ર હેગડે સામુદાયિક સેવામાં સૌથી આગળ
વીરેન્દ્ર હેગડેને રાજ્યસભામાં પણ મોકલવામાં આવી રહ્યા છે. પીએમ મોદીએ પોતાના વિશે માહિતી આપતા કહ્યું કે, તેઓ સામુદાયિક સેવામાં સૌથી આગળ છે. મને ધર્મસ્થળ મંદિરમાં પ્રાર્થના કરવાની અને આરોગ્ય, શિક્ષણ અને સંસ્કૃતિના ક્ષેત્રમાં તેમના દ્વારા કરવામાં આવતા મહાન કાર્યને જોવાની તક મળી છે. તેઓ સંસદીય કાર્યવાહીને ચોક્કસપણે સમૃદ્ધ બનાવશે.
Prime Minister Narendra Modi congratulates music composer & singer Ilaiyaraaja on being nominated to the Rajya Sabha pic.twitter.com/ZxVq2iPKoL
રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા વી.વિજયેન્દ્ર પ્રસાદ
આ ત્રણ લોકો ઉપરાંત વી.વિજયેન્દ્ર પ્રસાદને પણ રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા છે. વી. વિજયેન્દ્ર પ્રસાદ વિશે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ દાયકાઓથી રચનાત્મક દુનિયા સાથે જોડાયેલા છે. તેમની કૃતિઓ ભારતની ગૌરવપૂર્ણ સંસ્કૃતિને પ્રતિબિંબિત કરે છે અને વૈશ્વિક સ્તરે એક છાપ ઉભી કરી છે. રાજ્યસભામાં તેમના નામાંકન બદલ અભિનંદન.