ICMR એટલે કે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલની નવી ગાઈડલાઈન અનુસાર હવે મૃત્યુ પામનારા કોરોના શંકાસ્પદ વ્યક્તિની તપાસ મર્ચ્યુરીમાં મોકલતા પહેલાં જ કરાશે. નાકથી તેનું સેમ્પલ લેવાશે અને રિપોર્ટ આવ્યા બાદ જ બોડી જિલ્લા પ્રશાસનને આપવામાં આવશે. ICMR એ સ્ટેન્ડર્ડ ગાઈડલાઈન ફોર મેડિકો લીગલ અટોપ્સી ઈન કોવિડ 19 ડેથ ઈન ઈન્ડિયામાં કહેવાયું છે કે પ્રક્રિયા પૂરી થવા અને રિપોર્ટ આવવા સુધી મર્ચ્યુરીથી બોડી આપવામાં આવશે નહીં.
સામાન્ય ડેડબોડીને પણ શંકાસ્પદની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે
ગાઈડલાઈન અનુસાર દરેક કોરોના શંકાસ્પદના મોત બાદ ઈમરજન્સી વોર્ડમાં નાકનું સેમ્પલ લઈને તેને પીસીઆર ટેસ્ટ માટે મોકલાશે. અન્ય સામાન્ય દર્દીના મોત બાદ રિપોર્ટ નેગેટિવ આવશે તો તેમનો મૃતદેહને એ પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે જે કોરોના શંકાસ્પદ દર્દીઓ માટે અપનાવવામાં આવે છે.
ગાઈડલાઈનની 6 વાતો
ખોટા નેગેટિવ કેસ કોમન થતાં આ પ્રક્રિયા જરૂરી
ગાઈડલાઈનમાં કહેવાયું છે કે ખોટા નેગેટિવ કેસ સામાન્ય રીતે જોવા મળી રહ્યા છે. આ માટે દર્દી કે જેમની કોરોના સાથે કોઈ હિસ્ટ્રી નથી કેમને પણ નિયમ અનુસાર નક્કી પ્રક્રિયામાંથી પસાર કર્યા બાદ સંબંધિત વ્યક્તિને સોંપવામાં આવશે.
પ્લાસ્ટિક બેગ ખોલ્યા વિના પરિવાર બોડીની ઓળખ કરી શકશે
ડેડ બોડીની પાસે 2થી વધારે ફેમિલિ મેમ્બર રોકાઈ શકશે નહીં, આ સમયે તેમના મૃત શરીરથી 1 મીટરનું અંતર બનાવીને રાખવાનું રહેશે. પ્લાસ્ટિક બેગને ખોલ્યા વિના જ તેને જોઈને બોડીની ઓળખ કરી શકાશે.
અગ્નિ સંસ્કાર સમયે પણ 5થી વધારે લોકો નહીં હોય
ગાઈડલાઈન અનુસાર મોનિટરિંગ માટે એજન્સી સાથે જોડાયેલા લોકો દેહ સંસ્કારના સમયે હાજર રહેશે. આ સમયે મૃતકના પરિવારના 5થી વધુ લોકો હાજર રહી શકશે નહીં.
દફનાવવ્યા બાદ ઉપરના ભાગને સીમેન્ટથી પેક કરી શકાશે
જે બોડી દફનાવવામાં આવી રહી છે ત્યાં પ્રક્રિયા પૂરી થયા બાદ ઉપરના ભાગને સીમેન્ટને પેક કરી શકાશે. કબર 6થી 8 ફીટ ખોદી શકાશે. જ્યાં સુધી શક્ય હોય દેહ સંસ્કારની પ્રક્રિયા ઈલેક્ટ્રિક શવદાહ ગૃહમાં પૂરી કરવામાં આવશે જેથી બોડીને રાખવાના સમયને ઘટાડી શકાય.
આ બાબતો પર પણ રહેશે પ્રતિબંધ
એવા ધર્મ જ્યાં મૃત્યુ બાદ બોડીને નવડાવવા, ગળે લગાડવાની પરંપરા છે તેની પર પ્રતિબંધ રહેશે. દેહ સંસ્કાર બાદ શરીરની રાખ રાખવાની પરમિશન છે કારણ કે તેનાથી કોઈ ખતરો નથી.
દર્દીના કપડાં અને સામાનને ડિસ્પોઝ કરવું જરૂરી
કોવિડ 19ના દર્દીની અટોપ્સી કે બોડી સોંપતી સમયે તેમાં કોઈ તરલ પદાર્થ કે કોઈ ભાગ બહગાર દેખાશે તો તેને તરત જ ધોવામાં આવશે. 70 ટકા આલ્કોહોલ વાળા ડિસઇન્ફેક્ટેડથી સાફ કરવામાં આવશે. દર્દીના કપડાં અને અન્ય ચીજોને ડિસ્પોઝ કરવામાં આવશે.