ભારતમાં કોરોના વાયરસ નવેમ્બરમાં હશે ચરમસીમાએ પહોંચી શકે છે. ICMRના ઓપરેશન રિસર્ચ ગ્રૂપના એક રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે નવેમ્બરમાં ભારતમાં ICU અને વેન્ટિલેટરની અછત સર્જાશે. કોરોના સામે લડવા દેશમાં સ્વાસ્થ્ય સેવાઓ પણ ઓછી પડશે. જો કે એમ પણ માનવામાં આવી રહ્યું છે કે લૉકડાઉનના કારણે પણ કોરોના સંક્રમણ ઘટ્યું છે.નવેમ્બરમાં કોરોના ચરમસીમાએ પહોંચશે આ વાત વહેતી થયા બાદ ICMRએ ખુલાસો કર્યો કે આ વાત ખોટી છે અને રિસર્ચ સાથે અમારે કોઈ સંબંધ નથી.
ભારતમાં કોરોનાનો કહેર
નવેમ્બરમાં ચરમસીમાએ હશે કોરોના
દેશમાં ખૂટી પડશે ICU, વેન્ટિલેટર અને સ્વાસ્થ્ય સેવાઓ
ICMRએ ખુલાસો કર્યો
The news reports attributing this study to ICMR are misleading. This refers to a non peer reviewed modelling, not carried out by ICMR and does not reflect the official position of ICMR. pic.twitter.com/OJQq2uYdlM
નવેમ્બરમાં કોરોના ચરમસીમાએ પહોંચશે આ વાત વહેતી થયા બાદ ICMRએ ખુલાસો કર્યો કે આ વાત ખોટી છે અને રિસર્ચ સાથે અમારે કોઈ સંબંધ નથી.
ઓછી પડશે સુવિધાઓ
રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે લૉકડાઉનના કારણે સંક્રમણમાં 69થી 97 ટકા સુધી ઘટાડો જોવા મળ્યો છે. તેનાથી સ્વાસ્થ્ય પ્રણાલીના સંસાધનોને જોડવા માટેનો પાયો નક્કી કરવામાં મદદ મળશે. લૉકડાઉન બાદ જે સ્વાસ્થ્ય સેવાઓને વધારવાના ઉપાયો કરાયા છે તે પણ ઓછા પડી શકે છે. કારણ કે આ મહામારી નવેમ્બર સુધીમાં તેની ચરમસીમાએ પહોંચશે. આ પછી 5.4 મહિના માટે આઈસોલેશન બેડ, 4.6 મહિના માટે આઈસીયૂ બેડ અને 3.9 મહિના માટે વેન્ટીલેટરની અછત સર્જાશે.
લૉકડાઉનથી થયો મોટો ફાયદો
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર જો લૉકડાઉન અને જનસ્વાસ્થ્ય ઉપાયો નહીં કરવામાં આવે તો સ્થિતિ ગંભીર થઈ શકે છે. રિસર્ચર્સે કહ્યું કે પ્રાથમિક સુવિધાઓ માટે સરકાર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે અને મહામારીના પ્રભાવને ઘટાડવા માટેના પ્રયાસ પણ થઈ રહ્યા છે. જન સ્વાસ્થ્ય ઉપાયોના કવરેજને વધારીને 80 ટકા કરાયું છે.
60 ટકા મોત ઘટ્યા
ભારતમાં કોરોનાની મહામામરીના મોડલ આધારિત વિશ્લેષણના આધારે લૉકડાઉનના સમયે તપાસ, ઉપયાર અને રોગની જાણકારીને લઈને વધારે ક્ષમતા સાથે તૈયાર કરવાની સીમા 70 ટકા ઘટશે. સંક્રમણના કેસ 27 ટકા ઘટી જશે. વિશ્લેષણમાં કહેવાયું છે કે કોવિડ 19થી થનારા મોતના કેસમાં પણ 60 ટકા મોત ઘટ્યા છે. એક તૃતિયાંશ મોતને ટાળવાનું શ્રેય સ્વાસ્થ્ય સુવિધાઓમાં વધારાને આપવામાં આવે છે.
મહામારીના અસરને ઘટાડશે આ પગલાં
રિસર્ચર્સે કહ્યું કે કોરોનાના પ્રબંધની નીતિની સમીક્ષા કરવા અને સ્વાસ્થ્ય પ્રણાલીને મજબૂત કરવામાં મદદ મળશે. તેમાં કહેવાયું છે કે લૉકડાઉન મહામારીને ચરમ પર પહોંચાડવાની સમયસીમા ઘટાડશે. સ્વાસ્થ્ય પ્રણાલીની તપાસ, કેસને અલગ કરવા, ઉપચાર અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોને ઓળખવામાં મદદ કરશે. કોરોનાની રસી વિકસિત થવા માટે ભારતમાં મહામારીનો પ્રભાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા નિભાવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ રવિવાર સુધીમાં 3,20,000ને પાર પહોંચ્યા છે. અત્યાર સુધીમાં 9195 લોકોના મોત થયા છે. ભારતમાં સતત ત્રીજા દિવસે 10000થી વધુ નવા કેસ સામે આવતાં દેશ વિશ્વમાં ચોથા નંબરે છે.