CMR ના નવા રિસર્ચમાં એક દાવો કરવામાં આવ્યો છે કે ઓમિક્રોન સંક્રમણથી લોકોમાં તેનાથી વધારે ઘાતક એવા ડેલ્ટા વેરિયન્ટ સામે લડવાની શક્તિ આપોઆપ આવી જાય છે.
ICMR ના રિસર્ચમાં થયો ખુલાસો
ઓમીક્રોન સંક્રમણથી બને છે ઇમ્યુનિટી
જે ડેલ્ટા જેવા ઘાતક વેરિયન્ટ સામે આપે છે રક્ષણ
ભારતમાં કોરોના વાયરસના ઝડપથી ફેલાતા પ્રકાર ઓમિક્રોનના સંક્રમણથી સંક્રમિત લોકોમાં જે કુદરતી રોગપ્રતિકારક શક્તિ બનાવવામાં આવી રહી છે, તે ડેલ્ટા જેવા ઘાતક વેરિયન્ટ્સને પણ રોકવામાં પણ સફળ છે.
ICMR નો સ્ટડી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું છે કે ઓમિક્રોન ઈન્ફેક્શનમાંથી સાજા થઈ રહેલા લોકોમાં ઇમ્યુનિટી બની રહી છે. અને જે ઇમ્યુનિટી જાળવવામાં આવી રહી છે તે માત્ર આ પ્રકારથી જ નહીં પરંતુ ડેલ્ટા સહિત કોરોનાના અન્ય પ્રકારોથી પણ મજબૂત સુરક્ષા આપી રહી છે.
એક વાર સંક્રમિત થયા પછી ફરી સંભાવના ઓછી
જે લોકો ઓમિક્રોન સંક્રમણથી સ્વસ્થ થયા છે તેઓને ફરીથી સંક્રમણ લાગવાની સંભાવના ઘણી ઓછી છે. આ ઉપરાંત, ઓમિક્રોન ઝડપથી પ્રભાવશાળી સ્ટ્રેઇન તરીકે ડેલ્ટાને રિપ્લેસ કરી રહ્યો છે, એટલે કે, હવે મોટાભાગના કેસ ઓમિક્રોનના સામે આવી રહ્યા છે, ડેલ્ટા વેરિયન્ટ ઘટી રહ્યો છે.
બીજી લહેરનો ડેલ્ટા વેરિયન્ટ વધારે ઘાતક હતો
તે એક સારી નિશાની છે કે જે લોકો ઓમિક્રોન સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે તેમની કોરોનાના તમામ પ્રકારો સામે મજબૂત રોગપ્રતિકારક શક્તિ છે. આનો અર્થ એ થયો કે ભલે દેશમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યા હોય, પરંતુ તે ડેલ્ટા જેવા ખતરનાક વેરિયન્ટ્સને પણ રોકી શકે છે. Omicron પ્રબળ વેરિયન્ટ તરીકે ડેલ્ટાને રિપ્લેસ કરી રહ્યો છે અને ટૂંક સમયમાં ડેલ્ટાને સંપૂર્ણપણે રિપ્લેસ કરી શકે છે. ખરેખર, ડેલ્ટા વેરિઅન્ટ ખૂબ જ ઘાતક હતો. આના કારણે ભારતમાં કોરોનાની વિનાશક બીજી લહેર આવી હતી.
39 લોકો પર કરવામાં આવ્યો હતો સ્ટડી
ICMR ના એક અભ્યાસ અનુસાર, જે 26 જાન્યુઆરીના રોજ બહાર પાડવામાં આવ્યો હતો, તે ઓમિક્રોન પર કેન્દ્રિત રસીની વ્યૂહરચના વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂકે છે. આ અભ્યાસ 39 લોકો પર કરવામાં આવ્યો છે. તેમાંથી 25 લોકોએ કોવિશિલ્ડના બંને ડોઝ લીધા હતા. ત્યાં 8 લોકો હતા જેમણે ફાઈઝર રસીના બંને ડોઝ લીધા હતા અને 6 લોકોને રસીનો કોઈ ડોઝ મળ્યો ન હતો.
વિદેશમાંથી પણ આવેલા હતા લોકો
અભ્યાસમાં સામેલ કરાયેલા 39 લોકોમાંથી 28 એવા લોકો હતા જેઓ UAE, US અને UK જેવા દેશોમાંથી પાછા આવ્યા હતા. બાકીના 11 આ લોકોના હાઇ રિસ્ક કોન્ટેક્ટસ હતા એટલે કે તેમના સીધા સંપર્કમાં આવ્યા હતા.
આ તમામ લોકો કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત હતા. સ્ટડી મુજબ સંક્રમણ મુક્ત થયા પછી આ તમામ લોકોમાં વિકસિત રોગપ્રતિકારક શક્તિ, ઓમિક્રોન તેમજ ડેલ્ટા અને અન્ય તમામ વેરિયન્ટ્સ સામે રક્ષણ કરવામાં સક્ષમ છે. જો કે, આ અભ્યાસમાં કેટલીક મર્યાદાઓ છે કારણ કે તેમ ભાગ લેનાર લોકોની સંખ્યા ઓછી છે. તેમાં પણ રસી ન અપાયેલા લોકોના નમૂના પણ ઓછા છે. અને સંક્રમણ બદનો સમયગાળો પણ ઓછો છે.