બીજી લહેરની પાછળ જવાબદાર મનાઈ રહેલા કોરોનાના મ્યૂટેન્ટને વિદેશી યાત્રી ભારત લાવ્યા હતા.
કોરોનાના મ્યૂટેન્ટને વિદેશી યાત્રી ભારત લાવ્યા
આ મ્યૂટેન્ટ પ્રવાસી મજૂરો અને ધાર્મિક આયોજનોમાં સામેલ લોકો દ્વારા દેશમાં ફેલાયો
દેશમાં કોરોના વાયરસના 3 વેરિએન્ટ
કોરોનાના મ્યૂટેન્ટને વિદેશી યાત્રી ભારત લાવ્યા
દેશમાં કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જારી છે. જો કે હવે નવા કેસમાં ઘટાડો આવી રહ્યો છે. પરંતુ મોતના આંકડા હજુ પણ વધારે છે. આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ પોતાના રિસર્ચમાં દાવો કર્યો છે કે બીજી લહેરની પાછળ જવાબદાર મનાઈ રહેલા કોરોનાના મ્યૂટેન્ટને વિદેશી યાત્રી ભારત લાવ્યા હતા. આ બાદ આ મ્યૂટેન્ટ વાયરસ પ્રવાસી મજૂરો અને ધાર્મિક આયોજનોમાં સામેલ થનારા લોકો દ્વારા દેશમાં ફેલાયો.
આ મ્યૂટેન્ટ પ્રવાસી મજૂરો અને ધાર્મિક આયોજનોમાં સામેલ લોકો દ્વારા દેશમાં ફેલાયો
મીડિયા રિપોર્ટ અનુસાર આઈસીએમઆરની શોધમાં કહેવામાં આવ્યું છે કે શરુઆતના દોરમાં કોરોના સંક્રમણનો પ્રસાર મુખ્ય રુપથી પ્રવાસી મજૂરોના આવનજાવન અને ધાર્મિક આયોજનોથી શોધી શકાય છે. પ્રારંભિક તબક્કાના નમૂનાથી સાર્સ સીઓવી-2 વેરિએન્ટમાં જોવા મળ્યા. અમીનો એસિડ મ્યૂટેશનની સ્વતંત્ર ઓળખ હાલના સમયમાં ફેલાઈ રહેવા સ્ટ્રેનના વધારાને દર્શાવે છે.
આ સીક્વેન્સ માર્ચ અને જુલાઈ 2020માં મહારાષ્ટ્રમાં મળ્યા હતા
શોધમાં કહેવામાં આવ્યું છે કે જાન્યુઆરી 2020થી ઓગસ્ટ 2020ની વચ્ચે સાર્સ સીઓવી 2ના સીક્લેન્સના વિશ્લેષણથી સ્પાઈક પ્રોટીનમાં ઈ484 ક્યૂ મ્યૂટેશન હોવાની ખબર પડી. આ સીક્વેન્સ માર્ચ અને જુલાઈ 2020માં મહારાષ્ટ્રમાં મળ્યા હતા. એક તરફ રોગ પ્રતિકારક ક્ષમતાને છેતરનાર મ્યૂટેશન સ્પાઈક પ્રોટીનમાં એન 440 અમીનો એસિડ 2020માં તેલંગાણા, આંધ્ર પ્રદેશ અને આસામમાં જોવા મળ્યો હતો.
દેશમાં કોરોના વાયરસના 3 વેરિએન્ટ
આઈસીએમઆરે કહ્યુ કે દેશમાં કોરોના વાયરસના 3 વેરિએન્ટ બી .1.1.7, વેરિએન્ટ ઓફ કન્સર્ન અને બી. 1.351 મળ્યા હતા. આ વેરિએન્ટને લઈને સ્થિતિ ઘણી ચિંતાજનક હતી. કેમ કે આ રોગ પ્રતિકારક ક્ષમતાને છેતરવામાં અને ઝડપથી ફેલાવાની ક્ષણતા ધરાવે છે. હાલમાં જ ભારતીય સાર્સ સીઓવી 2 વાયરસ સીક્વેન્સમાં બી. 1.617ની સાથે સાર્સ સીઓવી 2ના સ્પાઈક પ્રોટીનમાં ઈ 484 ક્યૂ અને એલ 452 આર નામના મ્યૂટેશન મળ્યા છે. આ મ્યૂટેશન તેજીથી ફેલાઈ રહ્યા છે.