દેશમાં કોરોના વાઈરસના કેસની સંખ્યા ૫૫ લાખને પાર થઈ ગઈ છે. અત્યાર સુધીમાં ૮૮ હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ તો દેશમાં ત્રણ કંપનીઓ વેક્સિન વિકસિત કરી રહી છે.
કોરોનાની વેક્સિન લોકોને ક્યાં સુધીમાં મળશે તે હજુ સ્પષ્ટ નથી થયુંઃ ડો. બલરામ ભાર્ગવ
ત્રણ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલના અલગ-અલગ સ્ટેજ પર છે, પરંતુ હજુ સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યું કે, કોરોનાની વેક્સિન લોકોને ક્યાં સુધીમાં મળશે.
વેક્સિનને મહત્તમ કારગર બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે
આ દરમિયાન ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)ના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવનું કહેવું છે કે, કોરોનાથી સંક્રમિત શ્વાસના રોગીઓ પર કોઈ પણ વેક્સિન ૧૦૦ ટકા કારગર સાબિત ન થઈ શકે. જોકે ભાર્ગવે એવું પણ કહ્યું કે, આવા દર્દીઓ માટે વેક્સિનને મહત્તમ કારગર બનાવવાના તમામ પ્રયાસ કરવામાં આવશે.
કોઈ પણ વેક્સિનમાં આ 3 ચીજો હોવી જરૂરી: WHO
ICMRના ડાયરેક્ટર ડો. બલરામ ભાર્ગવના જણાવ્યા મુજબ, કોઈ પણ વેક્સિન કોરોના વાઈરસથી સંક્રમિત શ્વાસના દર્દીઓને ૧૦૦ ટકા સુરક્ષિત ન કરી શકે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ એક નિવેદનમાં કહ્યું હતું કે, કોઈ પણ વેક્સિનમાં ત્રણ ચીજો હોવી જોઈએ- સુરક્ષા, ઇમ્યૂનિટી વધારવાની ક્ષમતા અને તેનું કારગર હોવું. તેથી હું જણાવી દઉં કે એવા લોકો જે શ્વાસની બીમારીથી પીડાઈ રહ્યા છે, તેમના માટે વેક્સિન સંપૂર્ણ રીતે કામ નહીં કરી શકે.
૫૦ ટકા કારગર હોવા પર પણ વેક્સિનને સ્વીકાર કરવામાં આવી શકે છે
ભાર્ગવે વધુમાં કહ્યું કે, જોકે WHOએ એવું પણ કહ્યું છે કે ૫૦ ટકા કારગર હોવા પર પણ વેક્સિનને સ્વીકાર કરવામાં આવી શકે છે. આમ આપણે ૧૦૦ ટકાના ટાર્ગેટને લઈને ચાલી રહ્યા છીએ. પરંતુ આ ૫૦થી ૧૦૦ ટકાની વચ્ચે જ રહેશે.
ભારતમાં ડેવલપ થતી વેક્સિન ક્યાં સુધી પહોંચી?
ડો. ભાર્ગવે કહ્યું કે, ઝાયડસ કેડિલા અને ભારત બાયોટેકે ફેઝ-૧ ટ્રાયલ પૂરી કરી દીધી છે. બીજી તરફ સીરમ ઇન્સ્ટિટ્યૂટે ફેઝ-૨ બી-૩ ટ્રાયલ પૂરી કરી દીધી છે. ટૂંક સમયમાં મંજૂરી મળ્યા બાદ ત્રીજા ફેઝનું કામ શરૂ કરવામાં આવશે. તેના માટે ૧૪ સ્થાનો પર ૧,૫૦૦ દર્દીઓ પર તેના ટેસ્ટ કરવામાં આવશે.