ઘણા રાજ્યોમાં કોરોનાને લઈ આપવામાં આવેલ છૂટ અને દેશના પર્યટન સ્થળો પર જોવા મળી રહેલ ભીડ એજ સૂચવે છે કે કોરોનાની ત્રીજી લહેર હવે વધુ દૂર નથી.
ICMR ના પ્રોફેસર અને વૈજ્ઞાનિક સમીરન પાંડાએ કરી આ વાત
ઓગસ્ટ મહિનામાં આવશે ત્રીજી લહેર
ત્રીજી લહેરમાં આવશે રોજના એક લાખ કેસ
ICMR ના પ્રોફેસર અને વૈજ્ઞાનિક સમીરન પાંડાએ કરી આ વાત
દેશમાં કોરોનાનો બીજી લહેર હજી સુધી પૂરી પણ નથી થઈ ત્યાં ત્રીજી લહેરની આગાહી દિવસેને દિવસે વધુ સત્ય સાબિત થઈ રહી છે. દેશના ઘણા રાજ્યોમાં કોરોનાને લઈ આપવામાં આવેલ છૂટ અને દેશના પર્યટન સ્થળો પર જોવા મળી રહેલ ભીડ એજ સૂચવે છે કે કોરોનાની ત્રીજી લહેર હવે વધુ દૂર નથી. દેશના લોકોને એમ લાગી રહ્યું છે કે કોરોનાની બીજી લહેર ઓસરતા હવે કોરોના ફરીથી નહીં આવે. પણ આ માનસિકતાને કારણે ત્રીજી લહેર વધુ જલ્દી આવશે તેવી આગાહી ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) ના પ્રોફેસર અને વૈજ્ઞાનિક સમીરન પાંડાએ કરી હતી.
ઓગસ્ટ મહિનામાં આવશે ત્રીજી લહેર
આ સાથે જ તેમણે કહ્યું કે આ લહેર આગામી મહિને એટલે ઓગસ્ટ મહિનામાં જ આવી જશે. તેમણે અનુમાન લગાવ્યું છે કે ત્રીજી લહેરમાં દેશમાં 1 રોજ 1 લાખ કેસો આવશે. તેમણે વધુમાં કહ્યું કે જો વાયરસ પોતાનો વેરિયન્ટ નથી બદલતો તો દેશમાં જે રીતે પહેલી લહેર દરમિયાન કેસો સામે આવ્યા હતા, તે મુજબ કેસો સામે આવશે. કોરોનાની ત્રીજી લહેર વિશે ચેતવણી આપતા તેમણે કહ્યું કે આ લહેર પણ બીજી લહેર માફક એકદમ ઘાતક સાબિત થશે. લોકડાઉનમાં છૂટછાટને કારણે અને ઓછા પ્રમાણમાં થતાં રસીકરણને કારણે કેસમાં વધારો થઈ શકે છે.
ત્રીજી લહેરમાં આવશે રોજના એક લાખ કેસ
વધુમાં તેમણે કહ્યું કે ભારતમાં રસીકરણ અભિયાન વધુ ઝડપી કરવી જોઈએ. એમણે ભાર આપતા કહ્યું કે આ દરમિયાન જેટલું ઓછું થઈ શકે એટલું ઓછું બહાર નીકળો. તેમના કહ્યું મુજબ રસીકરણથી સંક્રમણનો દર ઓછો કરી શકાય છે અને ત્રીજી લહેરનો ખતરો પણ ઓછી કરી શકાય છે.