ભારતના ચામાચિડિયાની 2 પ્રજાતિમાં કોવિડ 19થી અલગ બેટ કોરોના વાયરસ (Bat Coronavirus) જોવા મળ્યો છે. ICMRના રિસર્ચમાં આ ખુલાસો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે આ વાયરસનું સંક્રમણ મનુષ્યોને નહીં થાય.
કોવિડ 19 બાદ આવ્યો નવો વાયરસ
બેટ કોરોના વાયરસ ચામાચિડિયામાં ફેલાય છે, વ્યક્તિમાં નહીં
બેટ કોરોનાને કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી
આ વિસ્તારોમાં જોવા મળ્યો બેટ કોરોના વાયરસ
કેરળ, હિમાચલ પ્રદેશ, પોંડિચેરી, તમિલનાડુના 25 ચામાચિડિયામાં BtCoV જોવા મળ્યા છે. આ ચામાચિડિયા Rousettus અને Pteropus જાતિના છે. ચામાચિડિયામાં બેટ કોરોના વાયરસ મળવાના કારણે સ્ટડીને ઈન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચમાં છાપવામાં આવ્યો છે.
બેટ કોરોના વાયરસ વ્યક્તિમાં ફેલાતો નથી
પુનાના નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ વાયરોલોજીના સાયન્ટિસ્ટ ડૉ. પ્રજ્ઞા ટી યાદવે કહ્યું કે આ વાતને સાબિત કરવા માટે કોઈ સાબિતિ કે રિસર્ચ નથી કે બેટ કોરોના વાયરસ વ્યક્તિમાં બીમારી ફેલાવી શકે છે.
બેટ કોરોનાને કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી
રિસર્ચ પેપર લખનારી ડૉ. પ્રજ્ઞા કહે છે કે બેટ કોરોના વાયરસનો કોવિડ 19 સાથે કોઈ સંબંધ નથી. તેઓએ એમ પણ કહ્યું છે કે ચામાચિડિયામાં આ પહેલાં નિપાહ નામનો વાયરસ પણ જોવા મળ્યો હતો.
ચામાચિડિયામાં અનેક પ્રકારના વાયરસ હોય છે તેમાંથી કેટલાક વ્યક્તિઓ માટે ઘાતક હોય છે, પણ તે ચામાચિડિયાને નુકસાન કરતા નથી. માનવામાં આવે છે કે વુહાનમાં ચામાચિડિયાથી જ કોવિડ 19 વ્યક્તિઓમાં ફેલાયો હતો. રિપોર્ટમાં કહેવાયું છે કે હજુ સુધી નક્કી થઈ શક્યું નથી કે શા માટે અમુક કોરોના વાયરસ જ માણસોને સંક્રમિત કરી શકે છે. સ્ટડીમાં આ વાતનું પણ ધ્યાન રખાયું છે કે ચામાચિડિયાથી માણસોના સંક્રમણના ખતરા પર સતત ધ્યાન રાખવામાં આવે.
ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે હાલ સુધી દુનિયામાં 1,998,976થી વધારે લોકો શિકાર બન્યા છે અને 1,26,708થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે.