કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના BA.1.1 અને BA.2 વિરુદ્ધ કારગર સાબિત થાય છે અને તેમાં લોકોની સુરક્ષા કરવામાં મદદ મળે છે.
દેશમાં ફરી એક વાર કોરોનાના કેસો વધ્યા
સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને વેક્સિન પર ભાર આપવા જણાવ્યું
રાજ્યોને પણ આ મામલે આપી દીધી છે સલાહ
દેશમાં ફરી એક વાર કોરોના સંક્રમણમાં વધારો થઈ રહ્યો છે. જેેને લઈને લોકોમાં ચિંતા વ્યાપી ગઈ છે. જેવી રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. તેને લઈને કેન્દ્રની તરફથી રાજ્યોને એડવાઈઝરી જાહેર કરીને રસીકરણ પર ધ્યાન કેન્દ્રીત કરવાનું કહેવામાં આવ્યું છે. સાથે જ 12-17 વર્ષના બાળકોને વેક્સિન આપવા પર ભાર આપ્યો છે. આ તમામની વચ્ચે આઈસીએમઆરના તાજા રિપોર્ટમાં સામે આવ્યું છે કે, કોવેક્સિનનો બૂસ્ટર ડોઝ કોરોનાના ઓમિક્રોન વેરિએન્ટના BA.1.1 અને BA.2 વિરુદ્ધ કારગર સાબિત થાય છે અને તેમાં લોકોની સુરક્ષા કરવામાં મદદ મળે છે. કોવેક્સિનનો બૂસ્ટર ડોઝના પ્રભાવને કોરોનાના ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ સુરક્ષા આપે છે.
આપને જણાવી દઈએ કે, દેશમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી સંક્રમણના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેને લઈને ફરી એક વાર સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને કોરોનાના સ્ટેંડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલનું પાલન કરવા માટે કહ્યું છે. દેશમાં કોરોના રસીકરણની રફ્તાર વધારવા માટે સ્વાસ્થ્ય મંત્રાલય કમર કસી રહ્યું છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો વેક્સિનના બીજા ડોઝ લેવા માટે આગળ આવતા નથી.
આ તમામની વચ્ચે ચિંતાનો વિષય એ છે કે, દેશમાં કોરોના વેક્સિનની એક મોટી ખેપ સપ્ટેમ્બર મહિનામાં એક્સપાઈઝ થવા જઈ રહી છે. ત્યારે આવા સમયે જો વેક્સિન લોકોને લગાવામાં નહીં આવે તો, આ તમામ વેક્સિન બરબાદ થઈ જશે. ભારત બાયોટેક પોતાની વેક્સિનની વેચવા માટે છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ ખાનગી હોસ્પિટલોનો સંપર્ક કરી રહી છે. કોવેક્સિનની એક્સપાઈરી ડેટ 12 મહિનાની હોય છે. જ્યારે કોવિશિલ્ડની 9 મહિના. ભારતમાં લગભગ 80 ટકા ડોઝ કોવિશિલ્ડના લાગી ચુક્યા છે. કોવિશિલ્ડની લગભગ 20 કરોડ ડોઝ ગત વર્ષે ડિસેમ્બર મહિનામાં તૈયાર થયા હતા, જ્યારે તેની એક્સપાયરી સપ્ટેમ્બર મહિનામાં છે. ત્યારે આવા સમયે કંપની આ વેક્સિનને બરબાદ થતી બચાવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે.