વિશ્વભરમાં કોરોના વાયરસે કહેર મચાવ્યો છે. ભારતમાં પણ કેસ સતત વધી રહ્યાં છે ત્યારે હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ફરીવાર પોતાની સ્ટ્રેટેજી બદલી નાખી છે. કોરોના વાયરસના ટેસ્ટમાં હવે વધુ આક્રમકતા દર્શાવવામાં આવશે.
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે ચોથીવાર બદલી સ્ટ્રેટેજી
નવી સ્ટ્રેટેજી દ્વારા વધુમાં વધુ ટેસ્ટ પર ભાર મુકવામાં આવશે
કોરોના દર્દીના સંપર્કમાં આવેલ દરેકનો કોરોના ટેસ્ટ
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે જે બાદ હવે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા પોતાની સ્ટ્રેટેજી ફરી એકવાર બદલવાનો નિર્ણય લીધો છે. હવેથી કન્ફર્મ કેસના સંપર્કમાં આવેલા તથા હાઈ-રિસ્ક કોન્ટેક્ટમાં આવેલા બધા લોકોની ટેસ્ટિંગ કરવામાં આવશે. હવેથી કોરોના વાયરસના દર્દીના સંપર્કમાં આવેલા એવા લોકો જેમાં કોરોના વાયરસના લક્ષણ દેખાતા નથી તે લોકોના પણ ટેસ્ટ કરવામાં આવશે. દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું ટેસ્ટીંગ સંપર્ક આવ્યાના 5થી 14 દિવસની વચ્ચે કરવામાં આવશે.
9મી એપ્રિલના રોજ ICMR દ્વારા પોતાની ચોથી સ્ટ્રેટેજી વિશે માહિતી આપવામાં આવી. જેમાં જણાવવામાં આવ્યું કે કયા લોકોના ટેસ્ટ થશે.
14 દિવસમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસ કરીને આવેલ વ્યક્તિ
જે સ્વાસ્થ્ય કર્મચારીઓમાં લક્ષણ દેખાય છે તે દરેકનું ટેસ્ટીંગ થશે
જે દર્દીઓને ખાંસી, તાવ જેવા લક્ષણો છે તે
કોરોના દર્દીઓના સંપર્કમાં આવેલ હોય અને હાઈ-રિસ્ક કોન્ટેક્ટના સંપર્કમાં આવ્યા હોય તે બધા
હોટસ્પોટ ઇલાકામાં જેને પણ તાવ ખાંસી અને ગળાની સમસ્યા હશે તે દરેકનું ચેકિંગ થશે
ગુજરાતના પણ હોટસ્પોટ વિસ્તારોમાં કોરોના વાયરસનો વિસ્ફોટ જોવા મળી રહ્યો છે. અમદાવાદના કોટ વિસ્તારમાં કોરોના વાયરસના સૌથી વધુ કેસ સામે આવતા મેગા સર્વે કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામ રૂપે અમદાવાદમાં સતત કેસ વધી રહ્યા છે. આવી જ પરિસ્થિતિ વડોદરાના નાગરવાડા હોટસ્પોટની છે.