ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની નવી ટેસ્ટિંગ ગાઈડલાઈનના આધારે રેપિડ એન્ટીજન ટેસ્ટના ટેસ્ટિંગ પ્રોટોકોલમાં પણ ફેરફાર કરાયો છે. હવે રેપિડ એન્ટીજન ટેસ્ટના કેટલાક પ્રોટોકોલ છે જેમાં આ ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો જ તેને પોઝિટિવ ગણાશે. જો ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ વ્યક્તિમાં લક્ષણો દેખાશે તો તેને ચોક્કસ રીતે RT-PCR કરાવવાનો રહેશે.
ICMRની ગાઈડલાઈનમાં થયા ફેરફાર
કોરોના ટેસ્ટિંગના પ્રોટોકોલમાં કર્યો ફેરફાર
નેગેટિવ રિપોર્ટ બાદ લક્ષણ દેખાતા RT-PCR કરાવાશે
ICMRની ટેસ્ટિંગની ગાઈડલાઈન અનુસાર આ જગ્યાઓને માટે આ પ્રોટોકોલ તૈયાર કરાયો છે. હવે રેપિડ એન્ટીજન ટેસ્ટના કેટલાક પ્રોટોકોલ છે જેમાં આ ટેસ્ટમાં વ્યક્તિ પોઝિટિવ આવે તો જ તેને પોઝિટિવ ગણાશે. જો ટેસ્ટમાં નેગેટિવ આવ્યા બાદ પણ વ્યક્તિમાં લક્ષણો દેખાશે તો તેને ચોક્કસ રીતે RT-PCR કરાવવાનો રહેશે. આ પોઈન્ટ ICMRએ ગાઈડલાઈનમાં ઉમેર્યો છે. નેગેટિવ રિપોર્ટ બાદ વ્યક્તિમાં કોઈ લક્ષણ નથી તો અને પાછળથી લક્ષણો દેખાય છે તો તેનો રેપિડ એન્ટીજન ટેસ્ટ અને આરટી પીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જેમાં નોન કન્ટેનમેન્ટ ઝોનમાં પણ દરેક લોકો જેનામાં લક્ષણો છે તેને પ્રાથમિકતા આપીને RT-PCR કરાવાશે. લક્ષણ વિનાના પરંતુ હાઈ રિસ્ક કોન્ટેક્ટને પ્રાથમિકતા અપાશે. તેમાં પરિવાર અને કાર્યસ્થળના લોકો, વ-દ્ધો અને જૂની પણ ગંભીર બીમારી વાળા લોકોને પ્રાથમિકતા અપાશે.
આ રીતે મળશે સારવાર
શ્વાસ સંબંધિત ગંભીર બીમારી વાળા, દરેક લક્ષણો વાળા દર્દી, વિના લક્ષણના હાઈ રિસ્ક દર્દીઓ અને સાથે જે હોસ્પિટલમાં એડમિટ છે અને જેને તરત હોસ્પિટલમાં એડમિટ થવાની જરૂર છે તેવા નબળી રોગપ્રતિરોધક ક્ષમતાવાળા દર્દી, ટ્રાન્સપ્લાન્ટ કરાવનારા દર્દીઓ, જૂના ગંભીર બીમારી વાળા દર્દીઓ કે 65 વર્ષથી ઉપરના દર્દીઓ, પ્રેગનન્ટ મહિલાઓ આ સર્જરી કરાવી રહ્યા છે. તેમાં કોઈ ઈમરજન્સી હોતી નથી એટલે કે ટાઈમ લઈને કાર્યવાહી કરાય છે. તેમને સર્જરી પહેલાં 14 દિવસ હોમ ક્વૉરન્ટાઈન થવું પડે છે. તેનાથી સંક્રમણનો ખતરો ઘટે છે.
નવી ગાઈડલાઈનમાં મળી આ પરમિશન
ICMR એ દેશમાં ટેસ્ટિંગ ઓન ડિમાન્ડને પરમિશન આપી છે. દેશમાં કોઈ પણ વ્યક્તિ ટેસ્ટ કરાવવા ઈચ્છે છે તો તે ટેસ્ટ કરાવી શકે છે. ICMR એ નવી ગાઈડલાઈનના આધારે આ પરમિશન આપી છે. અત્યારસુધીમાં ICMR ની ગાઈડલાઈનના આધારે RT-PCRએ લોકો કરાવી શકતા હતા જેમાં લક્ષણ જોવા મળતા હતા અથવા કોઈ કોરોના પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા. આ ટેસ્ટ સૌથી વધારે વિશ્વસનીય માનવામાં આવે છે પરંતુ પહેલાં કોઈ પણ વ્યક્તિ તેને કરાવી શકતા ન હતા.
રેપિડ એન્ટીજન ટેસ્ટ ખાસ કરીને એ લોકોનો થઈ રહ્યો હતો જેઓ કન્ટેનમેન્ટ ઝોનમાં, હોસ્પિટલ કે ડિસ્પેન્સરીમાં છે. અથવા ખાસ લોકોના સમૂહમાં આ ટેસ્ટ કરાવાતો હતો. આ સિવાય પણ અનેક લોકો આ ટેસ્ટ સરળતાથી કરાવી રહ્યા હતા કેમકે તે સરળ છે અને અડધા કલાકમાં રિપોર્ટ પણ આવી જાય છે.