રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે એક હોમ ટેસ્ટ કિટને ICMRની મંજૂરી મળી ગઈ છે.
પૂણેની આ કંપનીને ઓર્થોરાઈઝ કરવામાં આવી
એપલ સ્ટોરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે
આ સિસ્ટમથી મેળવી શકાશે રિપોર્ટ
પૂણેની આ કંપનીને ઓર્થોરાઈઝ કરવામાં આવી
દેશની મેડિકલ રિસર્ચની અગ્રણી સંસ્થા ICMRએ હવે કોરોનાના ટેસ્ટને લઈને નવી એડવાઈઝરી જારી કરી છે. નવી એડવાઈઝરી મુજબ કોરોનાની તપાસ હવે લોકો ઘરે કરી શકશે. રેપિડ એન્ટિજેન ટેસ્ટ માટે એક ટેસ્ટ કિટને ICMRની મંજૂરી મળી ગઈ છે. આ કિટના માધ્યમથી લોકો ઘરમાં જ નાકના માધ્યમથી કોરોનાના સેમ્પલ લઈ શકે છે. હોમ આઈસોલેશન ટેસ્ટિંગ કિટ માટે LAB DISCOVERY SOLUTION LTD પૂણેની કંપનીને ઓર્થોરાઈઝ કરવામાં આવી છે. આ કિટનું નામ છે COVISELF (Pathocatch)છે.
જાણો કેટલામાં અને ક્યારે મળશે કિટ
માયલેબ ડિસ્કવરી સોલ્યુશનની એમડી હસમુખ રવાલે કહ્યુ કે ટેસ્ટ કિટ બજારમાં એક અઠવાડિયામાં મળી જશે. આ પ્રોડક્ટને તૈયાર કરવામાં અમને 5 મહિનાનો સમય લાગ્યો છે. તેની કિંમત 250 રુપિયા પ્રતિ કિટ રાખવામાં આવી છે. આમાં ટેક્સ પણ સામેલ છે.
એપલ સ્ટોરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે
એડવાઈઝરીમાં કહેવામાં આવ્યુ છે કે હોમ ટેસ્ટિંગ ફક્ત સિમ્પ્ટોમેટિક દર્દી માટે છે. સાથે જે લોકો લેબમાં કન્ફોર્મ કેસના સીધા સંપર્કમાં આવ્યા હોય . હોમ ટેસ્ટિંગ કમ્પનીએ સૂચવેલા મેન્યૂઅલ રીતથી થશે. હોમ ટેસ્ટિંગ માટે ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી મોબાઈલ એપ ડાઉનલોડ કરવાની રહેશે. મોબાઈલ એપના માધ્યમથી પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ મળશે.
કોણ કરી શકે છે તપાસ
મંજૂરી બાદ ICMRની તપાસને લઈને એડવાઈઝરી જારી કરી છે આમાં કહેવામાં આવ્યુ છે કે તે લોકો જેમને લક્ષણો નજરે પડી રહ્યા છે હાલમાં સંક્રમિતના સંપર્કમાં આવ્યા છે તેમણે ટેસ્ટ કરવો જોઈએ. સાથે ICMRએ કહ્યુ કે કોઈ કારણ વગર તપાસની સલાહ ન આપી શકાય.
આ સિસ્ટમથી મેળવી શકાશે રિપોર્ટ
જે લોકો હોમ ટેસ્ટિંગ કરશે તેમણે ટેસ્ટ strip ફોટો પાડવાનો રહેશે અને તે ફોનથી તસવીર લેવાની રહેશે જે મોબાઈલમાં એપ ડાઉનલોડ છે. મોબાઈલ ફોન પર ડેટા સીધો ICMRના ટેસ્ટિંગ પોર્ટલ પર સ્ટોર થશે. દર્દીની પ્રાઈવસી યથાવત રહેશે. આ ટેસ્ટના માઘ્યમથી જેમનો રિપોર્ટ પોઝિટિવ આવે છે તેમને પોઝિટિવ માનવામાં આવશે. તેમને અન્ય કોઈ ટેસ્ટની જરુર નહીં પડે.
આ પણ છે નિયમ
જે લોકો પોઝિટિવ હશે તેમને હોમ આઈસોલેશને લઈને ICMR અને હેલ્થ મિનિસ્ટ્રીની ગાઈડલાઈનને માનવી પડશે. લક્ષણ વાળા દર્દીઓનું પરિણામ નેગેટિવ આવે તો તેમણે RTPCR કરાવવું પડશે. તમામ રેપિડ એન્ટિજન નેગેટિવ સિમ્પ્ટોમેટિક લોકોને સસ્પેક્ટેડ કોવિડ કેસ માનવામાં આવશે અને જ્યાં સુધી RTPCRનું રિઝલ્ટ ન આવે ત્યાં સુધી તેમને હોમ આઈસોલેશનમાં રહેવુ પડશે.